________________
દેશાદિ પાંચ વિરૂદ્ધનો ત્યાગ ]
એથી આ લોકમાં અપયશ વગેરે થાય છે. વાચક શિરોમણિ શ્રીઉમાસ્વાતિ વાચકજીએ કહ્યું છે કે, “સ ધમી લોકેનો આધાર લોક છે. માટે જે વાત લોકવિરૂદ્ધ અથવા ધર્મવિરૂદ્ધ હોય તે સર્વથા છોડવી.” કવિરૂદ્ધ તથા ધર્મવિરૂદ્ધ વાત છોડવામાં લેકની આપણા ઉપર પ્રીતિ ઉપજે છે, સ્વધર્મ સચવાય છે, અને સુખે નિર્વાહ થાય છે, વિગેરે ગુણ રહેલા છે. કહ્યું છે કે– કવિરૂદ્ધ વાતને છોડનાર માણસ સર્વ લોકેને પ્રિય થાય છે અને લોકપ્રિય થવું એ સમક્તિ વૃક્ષનું બીજ છે.”
પ હવે ધર્મ વિરૂધ્ધ કહીએ છીએ. મિથ્યાત્વી કૃત્ય કરવું, મનમાં દયાન રાખતાં બળદ વગેરેને મારવું, બાંધવું વગેરે, જૂઓ તથા માકણું વગેરે તડકે નાંખવા. માથાના વાળ મહેટી કાંસકીથી સમારવા, લી વગેરે ફેડવી, ઉષ્ણકાળમાં ત્રણ વાર અને બાકીના કાળમાં બે વાર મજબૂત મોટા જાડા ગળણાથી સંખાર વગેરે સાચવવાની યુક્તિથી પાણી ગાળવામાં તથા ધાન્ય, છાણાં, શાક, ખાવાનાં પાન ફળ વગેરે તપાસવામાં સમ્યફ પ્રકારે ઉપયોગ ન રાખવે. આખી સેપારી, ખારેક, વાલોળ, ફળી, વગેરે મોઢામાં એમની એમ નાંખવી, નાળવાનું અથવા ધારાનું જળ વગેરે પીવું, ચાલતાં, બેસતાં, સુતાં, ન્હાતાં, કોઈ વસ્તુ મૂકતાં અથવા લેતાં, રાંધતાં, ખાંડતાં, દળતાં, ઘસતાં અને મળમૂત્ર, બપો, કેગળો, જળ, તાંબૂલ, વિગેરે નાંખતાં બરાબર યતના ન રાખવી. ધર્મકરણીને વિષે આદર ન રાખવે, દેવ, ગુરૂ તથા સાધર્મિ એમની સાથે દ્વેષ કર, દેવદ્રવ્ય વિગેરેને ઉપભોગ કરવો, અધમ લોકોની સોબત કરવી, ધાર્મિક વિગેરે સારા લોકોની મશ્કરી કરવી, કષાયનો ઉદય બહ રાખ, બહુ દોષથી ભરેલું ખરીદ વેચાણ કરવું, ખરકર્મ તથા પાપમય અધિકાર આદિ કાર્યને વિષે પ્રવર્તવું. એ સર્વ ધર્મવિરૂદ્ધ કહેવાય છે. ઉપર આવેલાં મિથ્યાત્વ વગેરે ઘણું પદેની વ્યાખ્યા અર્થદીપિકામાં કરી છે. ધર્મ કે દેશવિરૂદ્ધ, કાલવિરૂધ રાજવિરૂદ્ધ અથવા લેકવિરૂદ્ધ આચરણ કરે છે તેથી ધર્મની નિંદા થાય છે માટે તે સર્વ ધર્મ વિરૂદ્ધ સમજવું. ઉપરકહેલું પાંચ પ્રકારનું વિરૂદ્ધકર્મ શ્રાવકે છેડવું. આ રીતે દેશાદિ પાંચ વિરૂદ્ધકર્મને ત્યાગ કરવાનું કહ્યું છે.
૪ ઊંચિતાચરણ ઉચિતાચરણના પિતા સંબંધી, માતા સંબંધી વગેરે નવ પ્રકારે છે. ઉચિતાચરણથી આ લોકમાં પણ સનેહની વૃદ્ધિ તથા યશ વગેરેની પ્રાપ્તિ થાય છે. આ ઉચિતાચરણ સંબંધ હિતેપદેશમાળામાં જે ગાથાઓ બતાવી છે તે ગાથાને અર્થ આપીએ છીએ.
ઉચિતાચરણથી જગતમાં યશ મળે છે. કારણકે માણસ માત્રનું માણસ પણું સરખું છતાં કેટલાક માણસે જ આ લેકમાં યશ પામે છે, તે ઉચિત આચરણને મહિમા છે એમ નક્કી જાણવું (૧)
ઉચિત આચરણના નવ પ્રકાર–૧ પિતાના પિતા સંબંધી, ૨ માતા સંબંધી, ૩ સગા ભાઈ સંબંધી, ૪ સ્ત્રી સંબંધી, ૫ પુત્ર પુત્રી સંબંધી, ૬ સગાં વહાલાં સંબંધી,