SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ [ શ્રાદ્ધ વિધિ એકની બીજાથી જૂદી પડનારી હેવાથી જૂદી ગણીએ તે ઘણાજ ભેદ થાય. આચાર્યના ઉપદેશથી થએલું તે શિપ કહેવાય છે. ઉપર કહેલાં પાંચ શિલ્પ ઋષભદેવ ભગવાનના ઉપદેશથી ચાલતાં આવેલાં છે. આચાર્યના ઉપદેશ વિના જે કેવળ લોકપરંપરાથી ચાલતું આવેલ ખેતી વ્યાપાર વગેરે તે કર્મ કહેવાય છે. સિદ્ધાંતમાં કહ્યું છે કે–આચાર્યના ઉપદેશથી થએલું શિલ્પ અને ઉપદેશથી ન થયેલું તે કર્મ કહેવાય છે. કુંભારનું, લુહારનું ચિત્રકારનું વગેરે શિલ્પના ભેદ છે, અને ખેતી, વ્યાપાર આદિ કર્મના ભેદ છે. ખેતી, વ્યાપાર અને પશુરક્ષાવૃત્તિ એ ત્રણ કર્મ અહિં પ્રત્યક્ષ કહ્યાં. બાકી રહેલાં કર્મ પ્રાયે શિ૯૫ વગેરેમાં સમાઈ જાય છે. પુરૂષની તથા સ્ત્રીઓની કળાઓ કેટલીક વિદ્યામાં અને કેટલીક શિલ્પમાં સમાઈ જાય છે. કર્મના સામાન્યથી ચાર પ્રકાર છે કહ્યું છે કે–“બુદ્ધિથી કર્મ (કાર્ય કરનારા ઉત્તમ, હાથથી કર્મ કરનારા મધ્યમ, પગથી કર્મ કરનારા અધમ અને મસ્તસ્થી (ભાર ઉપાડીને) કર્મ કરનારા અધમમાં અધમ જાણવા.” હવે બુદ્ધિથી કર્મ કરવા ઉપર મદન શ્રેઠિનું દષ્ટાંત છે. ચંપા નગરીમાં મદન નામે ધનશ્રેષ્ઠીને પુત્ર હતું. તેણે બુદ્ધિ આપનારા લેકેની દુકાને જઈ પાંચસો દ્રમ્મ આપી એક બુદ્ધિ લીધી કે, “બે જણ લઢતા હોય ત્યાં ઉભા રહેવું નહીં.” ઘેર આવ્યો ત્યારે મિત્રોએ પાંચસે દ્રમ્મની બુદ્ધિ સાંભળી તેની ઘણું મશ્કરી કરી, તથા પિતાએ પણ ઠપકો આપ્યો. તેથી તે મદન બુદ્ધિ પાછી આપી પિતાના દ્રમ્મ પાછા લેવા દુકાનવાળા પાસે આવ્યો. દુકાનદારે કહ્યું કે, “ જ્યાં બે જણાની લઢાઈ ચાલતી હોય, ત્યાં અવશ્ય ઉભા રહેવું.” એમ તું કબૂલ કરતે હોય તે હારા દ્રમ્મ પાછા આપું” તે વાત કબૂલ કરવાથી દુકાનદારે મદનનને પાંચશે દ્રમ્મ પાછા આવ્યા. હવે એક સમયે માર્ગમાં બે સુભટનો કોઈ વિવાદ થતું હતું, ત્યારે મન તેમની પાસે ઉભે રહો. બને સુભટેએ મદનને પોતાના સાક્ષિ તરીકે કબુલ કર્યો. ન્યાય કરવાને સમય આવ્યું, ત્યારે રાજાએ મદનને સાક્ષિ તરીકે બેલા. ત્યારે અને સુભટોએ મદનને કહ્યું કે, “જે હારી તરફેણમાં સાક્ષિ નહિ પૂરે, તે હારું આવી બન્યું એમ જાણજે. એવી ધમકીથી આકુળ વ્યાકુળ થએલા ધન ષ્ઠિએ પિતાના પુત્રના રક્ષણ માટે ક્રેડ ક્રમ્સ આપીને બુદ્ધિ દેનારની પાસેથી એક બુદ્ધિ લીધી કે, “તું હારા પુત્રને ગાંડો કર” એમ કરવાથી ધનશ્રેષ્ઠિ સુખી થયો. એ બુદ્ધિકર્મ ઉપર દેખત કહ્યું છે. વ્યાપાર આદી કરનારા કે હાથથી કામ કરનારા જાણવા. દૂતપણું વગેરે કમ કરનારા લેકે પગથી કામ કરનારા જાણવા. ભાર ઉપાડનારા વગેરે લેકે મસ્તકથી કામ કરનારા જાણવા. ૬ સેવાના પ્રકાર, તેમજ સેવા કેની કરવી અને ન કરવી. ૧ રાજાની,૨ રાજાના અમલદાર લોકોની ૩ શ્રેષ્ઠિની અને બીજા લોકેની મળી ચાર પ્રકારની સેવા છે. રાજાદિકની સેવામાં અહોરાત્ર પરવશતા આદિજોગવવું પડતું હોવાથી જેવાતેવા માણસથી થાય તેમ નથી. કહ્યું છે કે –“જે સેવક કાંઈ ન બોલે, તે મૂગો કહેવાય, જે છૂટથી બોલે
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy