SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ [ શ્રાદ્ધવિધિ સાથી મહારાજ સંબંધી વિચાર, સાધુની પેઠે સાધ્વીઓને પણ સુખ સંયમયાત્રાનાં પ્રશ્ન વગેરે કરવા. તેમાં એટલી વાત વળી અધિક જાણવી કે, સાધ્વીનું દુરાચારી અને નાસ્તિક લેાકેાથી રક્ષણ કરવું. પેાતાના ઘરની પાસે ચારે ખાજૂથી સારી રીતે રક્ષણ કરેલા અને જેનાં ખારણાં ગુપ્ત એટલે જ્યાં કાઈ ઝટ આવી શકે તેમ ન હોય તેવી જગ્યા આપવી. પેાતાની સ્ત્રી પાસે તેમની સેવા કરાવવી, પેાતાની પુત્રીઓને જ્ઞાનાદિ ગુણુને અથે તેમની પાસે રાખવી, પેાતાના કુટુ'ખમાંની પુત્રી સ્ત્રી આદિ કાઈ દીક્ષા લેવા તૈયાર થાય, તે તે સાધ્વીઓનેજ સોંપવી, જો સાધ્વીએ પોતાનેા કેાઈ આચાર ભૂલી જાય તે તેમને તે ચાદ કરાવવા, જો તે સાધ્વીઓ અન્યાય માર્ગે ચાલે, એવા સભવ દેખાય તો તેમને તે માર્ગે જતાં રાવી, જો તેમના પગ ખાટે માગે પડી ગયા હાય તે પહેલી વાર તેમને સારી શિખામણ દેવી, અને જો તે શિખામણ ન માનતાં વારંવાર તે સાધ્વીએ કુમાર્ગે ચાલવા જાય, તા તેમને કંઠાર વચન સભળાવવાં તથા ચેાગ્ય ઉપચાર કરી તેમને માગે લાવવાં. આમ છતાં તેમને સવ ઉચિત વસ્તુ આપી સેવા કરવી. એ રીતે સાધ્વી સંબંધી વિચાર જાણવે દરાજ નવીન અભ્યાસ કરવા. સુશ્રાવકે સાધુ મુનિરાજ પાસે જઈ કાંઇ પશુ ભણુવું. ‘કેમકે વિવેકી પુરૂષ કાજળના ક્ષય અને રાડાની વૃદ્ધિ જોઇને દાન અને ભણવા આદી શુભ કૃત્યાથી પોતાના દિવસ સફળ કરવા. પાતાની સ્ત્રી, લેાજન અને ધન એ ત્રણ વસ્તુને વિષે સાષ રાખવા. અર્થાત્ એ ત્રણેના વધારે લાભ ન રાખવા પર’તુ દાન, ભણવું અને તપસ્યા એ ત્રણ વસ્તુમાં સતેાષ ન રાખવા અર્થાત્ ન ધરાતાં હંમેશાં તે ત્રણે વસ્તુની વૃદ્ધિ કરવી. જાણે મૃત્યુએ આપણા મસ્તકના કેશ પકડયા હાયની ! એમ જાણી વિવેકી પુરૂષે ધમ કૃત્ય ઉતાવળથી 6 ૩૮ અલયકુમાર શ્રેણિક રાજાના બુદ્ધિનિધાન અભયકુમાર નામે પુત્ર પ્રસિદ્ધ છે. એક વખત એક કઢિઆરાએ સુધર્માં સ્વામી પાસે દીક્ષા લીધી, કેટલાક અજ્ઞાત લેાકા ખાવા ન મળવાથી દીક્ષા લીધી છે તેમ કરી તેની મશ્કરી કરવા લાગ્યા. બુદ્ધિનિધાન અભયકુમારે તે વાત જાણી તેણે નગરમાં ઢઢરા પીઢચે કે જેને આ રત્નરાશિ જોઈએ તે લઇ જોએ' લેાકાનાં ટાળે ટોળાં લેવા એકઠાં થયાં પણ તેમાં અભયકુમારે શરત એ રાખી હતી કે સ્ત્રી, અગ્નિ અને સચિત્તને સ્પા ન કરે તે આ રત્નરાશિ લઈ જઈ શકે છે.’ ભેગા થએલા સૌ એક બીજા સામું જોઈ પાછા ફર્યો. અભયકુમારે કહ્યુ` કે · સ્ત્રી, અગ્નિ અને સચિત્તને નહિ અડનાર આ કઠિયારો છતાં રત્નરાશિ ન લેવા આવ્યેા. જ્યારે તમે ઢાડતા આવ્યા તે તમે ભીખારી છે કે તે ?' નિંદા કરનાર ઢાકા મિઢા પડયા અને તેમને પેાતાની ભૂલ સમજાઈ. 6
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy