SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ [ શ્રાદ્ધવિધિ પરંતુ ખરી વાત કહીને પૂજક લોકેના હાથથી તે ચઢાવે. જિનમંદિરે પૂજકને વેગ ન હોય તે સર્વે લેકેને તે વસ્તુનું સ્વરૂપે પ્રકટ કહીને તેિજ તે વસ્તુ ભગવાન ઉપર ચઢાવે. એમ ન કરે તે, ગાંઠનું ન ખરચ્યા વિના ફેગટ લોકે પાસેથી પોતાની પ્રશંસા કરાવ્યાને દેષ લાગે છે. ઘરદેરાસરની નૈવેદ્ય આદિ વસ્તુ ગોઠીને આપવી, પણ તે તેના માસિક પગારની રકમમાં ને ગણવી. જે પ્રથમથી માસિક પગારને બદલે નિવેદ્ય આદિ આપવાનું ઠરાવ કર્યો હોય, તે કાંઈ દોષ નથી. મુખ્ય માર્ગે જોતાં તે ગોઠીને માસિક પગાર જૂદેજ અપ. દેરાસરમાં ભગવાન આગળ ધરેલા ચોખા, નેવેદ્ય આદી વસ્તુ મોટા જિનમંદિરે મૂકવી. નહિં તે “ઘરદેરાસરની વસ્તુથી જ ઘરદેરાસરની પૂજા કરી, પણ ગાંઠને દ્રવ્યથી ન કરી” એમ થાય, અને અનાદર, અવજ્ઞા આદી દેષ પણ લાગે. અને તેમ કરવું યોગ્ય નથી. જિનપૂજા પિતાના પૈસા ખર્ચીને કરવી, તેમજ ધાર્મિક કાર્યમાં કેઇના પૈસા મળ્યા હોય તો તેની સા પ્રથમ જાહેરાત કરવી. પિતાને શરીર, કુટુંબ વગેરેને અર્થે ગૃહસ્થ માણસ ઘણું ખર્ચ કરે છે તેણે જિનમંદિરે જિનપૂજા પણ શકિત પ્રમાણે પિતાના ખર્ચથીજ કરવી જોઈએ. પિતાના ઘરદેરાસરમાં ભગવાન આગળ ધરેલ નૈવેદ્ય આદિ વસ્તુ વેચીને નિપજેલા દ્રવ્યથી અથવા દેવદ્રવ્ય સંબંધી ફૂલ આદિ વસ્તુથી ન કરવી. કારણકે, તેમ કરવાથી ઉપર કહેલા અનાદર અવજ્ઞા આદિ દેષ લાગે છે, તેમજ જિમમંદિરે આવેલ નૈવેદ્ય, ચોખા, સોપારી આદિ વસ્તુની પિતાની વસ્તુની માફક સંભાળ લેવી અને સારું મૂલ્ય ઉત્પન્ન થાય એવી રીતે વેચવી, પણ જેમ તેમ આવે તેટલી કિસ્મતથી કાઢી નાંખવી નહિં કારણકે, તેમ કરવાથી દેવદ્રવ્યને વિનાશ કર્યાને દોષ આવે છે. સર્વપ્રયત્નથી રક્ષણ આદિ કરતાં છતાં પણ જે કદાચિત ચેર, અગ્નિ આદિના ઉપદ્રવથી દેવદ્રવ્યાદિકને નાશ થઈ જાય, તે સાર સંભાળ કરનારને માથે કાંઈ દોષ નથી. કારણકે, અવશ્ય થનારી વસ્તુ–ભવિષ્ય આગળ કંઈને કાંઈ ઉપાય ચાલતું નથી. યાત્રા, તીર્થની અથવા સંઘની પૂજા, સાધમિક વાત્સલ્ય, સ્નાત્ર, પ્રભાવના પુસ્તક લખાવવું, વાંચન આદિ ધર્મકૃત્યોમાં જે બીજા કેઈ ગૃહસ્થના દ્રવ્યની મદદ લેવાય તે, તે ચાર પાંચ પુરૂને સાક્ષિ રાખીને લેવી, અને તે દ્રવ્ય ખરચવાને સમયે ગુરૂ, સંઘ આદિ લેકેની આગળ તે દ્રવ્યનું ખરું સ્વરૂપ જાહેર કરી દેવું, એમ ન કરે તે દોષ લાગે. તીર્થ આદિ સ્થળને વિષે દેવપૂજા, સ્નાત્ર, વિજાપણુ, પહેરામણી આદિ અવશ્ય કરવા યોગ્ય ધર્મકૃત્ય ગાંઠના દ્રવ્યથી જ કરવાં, તેમાં બીજા કેઈનું દ્રવ્ય ભેગું ન લેવું જોઈએ. ઉપર કહેલાં ધર્મકૃત્યો પ્રથમ ગાંઠના દ્રવ્યથી કરીને પછી બીજા કોઈએ ધમકામાં વાપરવા દ્રવ્ય આપ્યું હોય તે, તે મહાપૂજા, ભગ, અંગપૂજા આદિ કૃત્યમાં સર્વની સમક્ષ જ વાપરવું. જ્યારે ઘણુ ગૃહસ્થ ભેગા થઈને યાત્રા, સાધર્મિક વાત્સલ્ય, સંધ
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy