________________
અધ્યાત્મોપનિષત્પ્રકરણ
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ
મહોપાધ્યાયશ્રી યશોવિજયગણિવરાય નમઃ
શ્રીભુવનભાનુ-જયઘોષસૂરિસદ્ગુરુભ્યો નમઃ
૫
અધ્યાત્મ-ઉપનિષદ્નો પ્રસાદ
શ્રી યશોવિજય ઉપાધ્યાયજીએ રચેલ અધ્યાત્મ-ઉપનિષદ્ ગ્રન્થ જૈન સાહિત્યનું એક અમૂલ્ય રત્ન છે.
૧અધ્યાત્મમતપ૨ીક્ષા, અધ્યાત્મસાર અને અધ્યાત્મોúનષદ્ આ ત્રણ ‘અધ્યાત્મ’ શબ્દ ગર્ભિત કૃતિઓ પૂ. ઉપાધ્યાયજીએ રચી છે. તે પૈકી ૧અધ્યાત્મમતપ૨ીક્ષામાં અધ્યાત્મના નામ-સ્થાપના-વ્ય-ભાવ એ ચા૨ નિક્ષેપા દર્શાવીને, પ્રધાનપણે તત્કાલીન બનાવટી આર્થાત્મકમતનું નિરસન કરાયેલું છે. ભાવ-અધ્યાત્મનું સૌથી વિશાળ નિરૂપણ અધ્યાત્મસારગ્રન્થમાં કરાયું છે. અધ્યાત્મ-ઉર્પનષદ્ ગ્રન્થનો મુખ્યપણે સૂર એ છે કે - ‘‘વાસ્તવિક અધ્યાત્મની પીછાન વિશુદ્ધશાસ્ત્રવચનથી થાય છે; શાસ્ત્રવચન દ્વારા આત્મા, જ્ઞાનયોગ અને ક્રિયાયોગના સમન્વયરૂપ અધ્યાત્મસાધનાને આત્મસાત્ કરે છે- તેનાથી મુક્તિસાધક સમતાયોગ સિદ્ધ થાય છે.''
આ ગ્રન્થમાં ચા૨ વિભાગ પાડવામાં આવ્યા છે. (૧) શાસ્ત્રયોગ‚ અધિકા૨, (૨) જ્ઞાનયોગ િઅધિકા૨ (૩) ક્રિયાયોગ િઅધિકા૨ (૪) સામ્યયોગર્શા ધિકા૨.
શાસ્ત્રયોગશુદ્ધિ
વિભાગ - ૧ આ વિભાગમાં અધ્યાત્મની વ્યાખ્યા વ્યવહા૨ અને નિશ્ચય, એમ બે નયના આધારે જુદી જુદી કરેલી છે. એવંભૂતનય એ અહીં નિશ્ચયનય છે અને એ 'અધ્યાત્મ' શબ્દની વ્યુત્કૃત્તથી લભ્ય અર્થ ૫૨ ભા૨ મુકતાં કહે છે કે આત્માને લક્ષમાં રાખીને જે જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ અને વીર્ય આ પાંચે આચારોનું સુંદર પાલન થાય તે અધ્યાત્મ છે. આ અર્થ વ્યુત્પત્તિ દ્વારા એ રીતે લત થાય છે કે “માત્મનિ કૃતિ મધ્યાત્મ' અર્થાત્ આત્માને ઉદ્દેશીને થના૨ી વિશુદ્ધ ક્રિયા, એટલે કે જ્ઞાનાદિ પાંચ આચારોનું પાલન.
આત્માનું શુદ્ધ-બુ-નિરંજન-નિ૨ાકા૨-સિદ્ધાત્મ૨સ્વરૂપ તો ર્વાિષ્ક્રય છે, પરંતુ જ્યાં સુધી જીવ કર્મબદ્ધ છે ત્યાં સુધી અજ્ઞાન-વિશ્વાસ-અંધશ્રદ્ધા-અશ્રદ્ધા-લસ્પટતા અને ખા-ખા ક૨વું વગેરે અનેક દુરાચારોમાં રચ્યો-પચ્યો અને ફસાયેલો છે. શુદ્ધ íિષ્ક્રય આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે આ દુરાચારો-પાપાચારોનું વર્જન અનિવાર્ય છે. તે બે ૨ીતે સંભવી શકે, ૧. જીવ તમામ પ્રવૃત્તિઓને સર્વથા એકાએક બંધ કરી દે,