SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૨.૪.૭. ૫૫ વિગ્રહમાં વર્તતો સર્વ શબ્દ હજુ અન્ય પદાર્થનો વાચકન બન્યો હોવાથી તેનામાં સર્વાભિધાયકત્વ' વર્તતા તે સર્વાદિ ગણાય છે. માટે વિગ્રહાવસ્થામાં તેનો સર્વાદિ નામાશ્રિત કાર્ય થવા પૂર્વકનો સર્વે પ્રયોગ થઇ શક્યો. [ અહીં પ્રસંગવશ જહસ્વાર્થપક્ષ” અને “અજહસ્વાર્થપક્ષને જાગી લઈએ. વૈયાકરણ વિદ્વાનોમાં બે પક્ષ છે. એક પક્ષ શબ્દને નિત્યરૂપે સ્વીકારે છે. જ્યારે બંને પક્ષ શબ્દને અનિત્ય (કાર્ય) સ્વરૂપે સ્વીકારે છે. તેમાં શબ્દનિત્યત્વવાદીઓ રાનપુરુષ: વૃત્તિ અને રાજ્ઞ: પુરુષ: વાક્ય બન્ને એક જ અર્થનું પ્રતિપાદન કરવા છતાં તેમને પરસ્પરના પર્યાય ગાગતા નથી. તેમના મતે વૃત્તિ અને વાક્ય વચ્ચે અત્યંત ભેદ છે. રાનપુરુષ: વૃત્તિ દ્વારા સ્વાભાવિક રીતે જરા: પુરુષ: વાક્યની જેમ અર્વાભિધાન થઈ જય છે. આમના મતને જહસ્વાર્થપક્ષ” અને “અજવસ્વાર્થપક્ષ” સાથે કાંઈ લાગતું વળગતું નથી. જ્યારે શબ્દ અનિત્યત્વવાદીઓ રાનપુરુષ: વૃત્તિ અને રાજ્ઞ: પુરુષ: વાક્ય બન્ને એક જ અર્થનું પ્રતિપાદન કરતા હોવાથી તેમને પરસ્પરનાં પર્યાય ગણે છે. આથી આમના મત પ્રમાણે વિગ્રહાવસ્થાનાં વાક્યનો નાશ કરી વૃત્તિ નિષ્પન્ન કરવામાં આવે છે અને આવી વૃત્તિમાં (A) વતંતું ઉપસર્જન પદ પર (= અન્ય પ્રધાન પદ) ના અર્થનો બોધ કરાવતું હોવાથી શબ્દ અનિત્યત્વવાદીઓના મતે વૃત્તિ પરાથભિધાય) કહેવાય છે. આ પરથભિધાયી વૃત્તિમાં વર્તતું ઉપસર્જન) પદ જહસ્વાર્થ’ અને ‘અજહસ્વાર્થ' રૂપે બે પ્રકારે સંભવે છે. અહીં કેટલીક વૃત્તિસ્થળે જહસ્વાર્થ અને કેટલીક વૃત્તિસ્થળે “અજહસ્વાર્થ રૂપ ઉપસર્જન પદ હોય છે એવું નથી, પણ શબ્દ અનિત્યત્વવાદી વૈયાકરણોમાં આ બે પક્ષ છે. અર્થાત્ પાંચે વૃત્તિસ્થળે શબ્દ અનિત્યત્વવાદીમાંના કેટલાક વૈયાકરણો જહસ્વાર્થપક્ષને સ્વીકારે છે અને કેટલાક અજહસ્વાર્થપક્ષને સ્વીકારે છે. તેમાં નતિ નિ સ્વાર્થ સ્મિત નહસ્ત્રાર્થ' અર્થાત જે વૃત્તિસ્થળે ઉપસર્જન પદ પોતાના અર્થનો ત્યાગ કરી પર (પ્રધાન) વિશેષ્ય પદાર્થનો બોધ કરાવે ત્યાં જહસ્વાર્થ ઉપસર્જન પદ હોય છે. જેમકે રાનપુરૂષ: વૃત્તિસ્થળે ઉપસર્જન (ગૌણ) રાજન પદ પોતાના રાજા” અર્થનો ત્યાગ કરી રાજ્ઞ: પુરુષ: આ વાક્યાવસ્થામાં જે પુરૂષ રૂપ પ્રધાન અર્થ પોતાથી બોધિત નતો થતો તેનો બોધ કરાવે છે, માટે તે જહસ્ત્રાર્થ ઉપસર્જનપદ કહેવાય, અને " નતિ કવાનિ સ્વાર્થ સ્મિન જ મહત્ત્વાર્થ' અર્થાત્ જે વૃત્તિસ્થળે ઉપસર્જન પદ પોતાના અર્થનો ત્યાગ કર્યા વિના પર (પ્રધાન) વિશેષ્ય પદાર્થનો બોધ કરાવે ત્યાં અજહસ્વાર્થ ઉપસર્જન પદ હોય છે. જેમકે રાનપુN: વૃત્તિસ્થળે ઉપસર્જન રાનનું પદ પોતાના રાજ’ અર્થનો ત્યાગ કર્યા વિના રાજ્ઞ: પુરુષ: આ વાયાવસ્થામાં જે પુરૂષ રૂપ (A) વૃત-તદ્ધિત-સમાસ-શિષ-સાન્તા: પન્થ વૃત્ત: | (B). परस्य शब्दस्य योऽर्थस्तस्य शब्दान्तरेणाभिधानं यत्र सा वृत्तिरित्यर्थः, यथा राजपुरुष इत्यत्र राजशब्देन वाक्या વાયામનુ: પુરુષાર્થોડપથીયતો (ચા.સમુ. તર-ર૧) 'જે શબ્દ ઇતરના વિશેષણરૂપે પોતાના અર્થનો ઉપસ્થાપક હોય તેને ઉપસર્જન કહેવાય.' અથવા 'વૃત્તિથી જન્ય બોધમાં જે અર્થ વિશેષણ રૂપે જણાતો હોય તેને ઉપસર્જન કહેવાય.” ફતવશેષતર્થવ स्वार्थोपस्थापकत्वमुपसर्जनत्वं यद्वा वृत्तिजन्यबोधीयप्रकारताश्रयत्वमुपसर्जनत्वम्। (વ્યા..માર્ગ 2.8.ર૭ દ્યોત)
SR No.023416
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Original Sutra AuthorHemchandracharya
AuthorPrashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy