SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ १.१.२७ ૧૮૫ અને બીજી આપત્તિ એ કે જ્યાં પ્રત્યક્ષથી ધૂમ જણાયો હોય અને તે ધૂમધારાવલિની અનુમતિ કરાઈ હોય તેવા સ્થળે પણ વહ્નિ પરંપરાએ પ્રત્યક્ષથી જણાયો હોવાથી તેનું પ્રત્યક્ષ માનવાથી આપત્તિ આવશે. ધૂમ શબ્દથી ધૂમપદાર્થ જણાયો હોય અને તેના દ્વારા જો વલિનો બોધ થાય તો ત્યાં પણ વહ્નિ પરંપરાએ ધૂમ શબ્દથી જણાયો હોવાના કારણે વહિનો શાબ્દબોધ માનવાની આપત્તિ આવશે. માટે વાક્યર્થને આ રીતે પરંપરાએ શબ્દબોળ (શાબ્દરૂપે) સ્વીકારી ન શકાય, પરંતુ તે સાક્ષાત્ વાક્યગમ્ય છે. જેથી સઘળાય વ્યવહારોમાં વાક્યનો જ પ્રયોગ થાય છે, પદનો નહીં) તેથી જ વ્યાકરણકારો વાક્યને મુખ્ય શબ્દરૂપે ગણે છે અને વાયાર્થને મુખ્ય શબ્દાર્થરૂપે ગણે છે. બાકીપદ અને પદનો અર્થ તો ફકત લાઘવને માટે કલ્પિત એવા અન્વયવ્યતિરેકને લઈને બતાવવામાં આવે છે. કેમકે દરેક વાકયે વ્યુત્પત્તિ બતાવવી શક્ય બનતી નથી અને તેમ થતા શબ્દ વ્યવહારના ઉચ્છેદનો પ્રસંગ આવે છે. આશય એ છે કે ક્યારે પણ વાક્યથી જ એક અખંડ નિરાકાંક્ષ અર્થની પ્રતીતિ થતી હોય છે. બાકી એકલું ટમ્ પદ બોલવામાં આવે તો ફક્ત ઘડાને આવો અર્થ જણાય પણ આકાંક્ષા ઊભી રહે છે કે ઘડાને લાવ, લઇ જા, ભર, ખાલી કર વિગેરે શું કહેવા માંગે છે?' એવી જ રીતે ફક્ત માનવ ક્રિયાપદ ઉચ્ચારવામાં આવે તો પણ આકાંક્ષા ઊભી રહે છે કે કોને લાવવો? ઘડાને, ગધેડાને કે ઘોડા વિગેરેને?' પરંતુ ઘટનાના' વાક્ય ઉચ્ચારવામાં આવે ત્યારે ઘડાને લાવ’ અર્થ જણાવાથી એક નિરાકાંક્ષ પ્રતીતિ થાય છે. માટે વાક્યને વ્યાકરણકારો મુખ્ય શબ્દરૂપે ગણે છે. હવે દરેક વાક્યનો શું અર્થ થાય એ શીખાડવા બેસીએ તો વાક્યો તો એટલા બધાં છે કે તેનો પાર પામવો શક્ય ન બને. માટે કોઈ ભાષા શીખી ન શકવાથી ભાષાના ઉચ્છેદનો પ્રસંગ આવે. આવું ન થાય માટે વ્યાકરણકારો સાદશ્યને લઈને કલ્પિત એવા અન્વય-વ્યતિરેકને આશ્રયી પદ અને પદાર્થની વ્યવસ્થા બતાવે છે. જેમાં તે તે પદ ભલે ગમે તે વાક્યમાં આવે, છતાં તેના નિયત અર્થ થતા હોય. આ વ્યવસ્થા બતાવીને પણ અંતે તો વાક્યર્થનું જ્ઞાન કરાવવું એ જ લક્ષ્ય હોવાથી વાક્ષાર્થ મુખ્ય ગણાય છે. હવે આપણે અન્વયવ્યતિરેકને લઈને શી રીતે તે તે પદોના નિયત અર્થની વ્યવસ્થા છે તે જોઇએ. ‘ઘટમીના' વાક્ય બોલાતા ઘડાને લાવ’ આ અર્થ જણાય છે. પરંતુ અહીં ઘડો' અર્થ ઘટસ્ પદનો છે કે માનવ પદનો? એ નક્કી નથી કરી શકાતું. આ જ પ્રમાણે લાવ’ અર્થ અંગે પણ જાણવું. હવે ‘પદે ના' વાક્ય બોલાતા ઘડાને લઈ જા” અર્થ જણાય છે. અહીં પૂર્વવાક્ય અને વાક્યર્થની સરખામણીમાં જોઇએ તો પૂર્વવાક્યને સદશજ ઘટસ્પદ આ વાક્યમાં પણ છે. તો સાથે ઘડો અર્થ પણ બન્ને ઠેકાણે ઊભો જ છે. એવી રીતે પૂર્વવાક્યનું માનપદ આ વાક્યમાં નથી, તો સાથે ‘લાવ' અર્થ પણ ટક્યો નથી. એવી રીતે માનવ વાક્ય બોલાતા પ્રથમ વાક્યને સદશ ઘટસ્પદ આ વાક્યમાં ગેરહાજર છે, તો ભેગો ઘડો’ અર્થ પણ વિદ્યમાન નથી અને માનવ પદ હાજર છે, તો ‘લાવ અર્થ પણ વિદ્યમાન છે. આમ તત્સત્તે તત્સવ અને ‘તમારે તમાવ:આ અન્વય-વ્યતિરેકના નિયમ મુજબ જણાય છે કે ઘટમ્' પસર્વે પટાર્થસર્વમ્ અને ઘટમ્'પાના ઘટાડાવે. એવી જ રીતે માનવ' સર્વે માનનાર્થસત્ત્વ અને માનવ પવાભાવે માનવનાથ ભાવ: આમ અન્વય-વ્યતિરેકના આધારે ખબર પડે છે કે ઘટન
SR No.023413
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Original Sutra AuthorHemchandracharya
AuthorSanyamprabhvijay, Prashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy