________________
ગાથાર્થ– જેમાં અઢાર પ્રકારનો આહાર હોય, જેમાં ભક્ષ્ય (કચાવીને ખાવા યોગ્ય) મોદક વગેરે વસ્તુઓ ઘણી હોય, જેમાં પેય (કપીને ખાવા યોગ્ય) વસ્તુઓ ઘણી હોય, જે મધુર હોય, આવું પણ ભોજન જો વિષથી યુક્ત હોય તો ખાધેલું તે ભોજન પરિણામકાળે ખાનારને મારે છે.
ટીકાર્થ– આહારના અઢાર ભેદો આ પ્રમાણે છે– સૂપ, ઓદન, યવાન્ન, ત્રણ માંસ, ગોરસ, યૂષ, ભક્ષ્ય, ગુડલવણિકા, મૂલ ફલ, હરિતક, ડાક, રસાલુ, પાન, પાનીય, પાનક, શાક આ અઢાર લૌકિક ( વિવેકરહિત લોકમાં પ્રસિદ્ધ) નિરુપત (=નિર્દોષ) આહાર છે.
૧. સૂપ-દાળ. ૨. ઓદન=ભાત. ૩. યવા=જવનું પરમાત્ર. ૪-૫૬. ત્રણ માસ જલચર-સ્થલચર-ખેચર પ્રાણીનું માંસ. ૭. ગોરસ-દૂધ-દહીં વગેરે. ૮. યૂષ=જીરું-સૂંઠ વગેરેના સંસ્કારવાળું મગજલ. ૯. ભક્ષ્યઃખાંડવાળા ખાજા વગેરે. ૧૦. ગુડલવણિકા ગોળપાપડી અથવા ગોળ મિશ્રિત ધાણા. ૧૧. મૂલફલ અશ્વગંધા વગેરેના મૂળિયાં અને આંબા વગેરેનાં ફળો. ૧૨. હરિતક જીરા આદિના પાંદડાંઓથી બનાવેલ વાનગી. ૧૩. ડાક=હિંગ-જીરુ આદિના સંસ્કારવાળી વત્થલ અને રાઈ આદિની ભાજી. ૧૪. રસાલૂeઘી, મધ, દહીં, મરી અને ખાંડ વગેરેના મિશ્રણથી બનતી વિશિષ્ટ વાનગી. ૧૫. પાન-દારૂ વગેરે. ૧૬. પાનીય=શીતલ અને સ્વાદિષ્ટ પાણી. ૧૭. પાનક=દ્રાક્ષા-ખજૂર વગેરેનું પાણી. ૧૮. શાક=તક્ર નાખીને બનાવેલ વડા વગેરે. (પ્ર.સા.ગા. ૧૪૧૧ થી ૧૪૧૭) (૧૦૮) तद्वदुपचारसंभृतरम्यकरागरससेविता विषयाः ।। भवशतपरम्परास्वपि, दुःखविपाकानुबन्धकराः ॥ १०९ ॥ दान्तिकमाह-तद्वत्-तथा उपचारेण-चटुकर्मविनयप्रतिपत्त्यादिना संहृतःपिण्डीकृतः संभृतो वा-बह्वीकृतो रम्यको-रमणीयः स चासौ रागश्चप्रीतिस्तस्य रसः-अतिशयानुभवनं तेन सेविता-भुक्ताः, क एवंविधा इत्याह
૧. અહીં પાછાશ એ પદ અન્ન પદનું વિશેષણ છે. શાક છે અઢારમું જેનું (કે જેમાં) તે શાકાષ્ટાદશ. અન્નના અઢાર પ્રકાર છે. તેમાં શાક અઢારમો ભેદ છે. આમ શાષ્ટિ તમન્ન નો ભાવાર્થ “અઢાર પ્રકારનો આહાર' એવો થાય.
પ્રશમરતિ • ૮૪