SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યાં અહંકાર હોય ત્યાં વિનય હોય નહિ અને હોય તો દેખાવનો કે સ્વાર્થનો હોવાથી દૂષિત હોય છે. આગમનો પ્રકાંડ અભ્યાસી હોય, વિદ્યાસાધકને પણ શરમાવે તેવી અપ્રમતતાથી શુદ્ધ ક્રિયાઓનું સેવન કરતો હોય, અનેકના મોંમા આંગળા ઘલાવે તેવો વિનય હોય, પણ અહંકાર... જેમ ઝેરનું એક જ બિંદુ પડ્યા પછી કઢેલું પણ દૂધ બગડી જાય છે; તેમ અહંકારથી આગમજ્ઞાન, ક્રિયા અને વિનય દૂષિત બની જાય છે. ધર્મનું મૂળ વિનય છે. જ્યાં અહંકાર હોય ત્યાં સાચો વિનય હોય નહિ. સાચા વિનય વિના ધર્મ ક્યાંથી હોય ! ધર્મ ન હોય તો ધર્મથી મળતા અર્થ-કામ પણ શી રીતે હોય ? અહંકારી મનુષ્ય શેઠ, રાજા, વેપારી, ઘરાક આદિની સાથે તોછડાઇથી વર્તતો હોવાથી અર્થને (ધનને) અને સ્ત્રી આદિને અનુકૂળ ન રહેવાથી કામને (સંસારસુખોને) મેળવી શકતો નથી. " આમ અહંકારથી ચારે પુરુષાર્થો સિદ્ધ થતા નથી.] (૨૭) मायाशीलः पुरुषो यद्यपि न करोति कंचिदपराधम् । સર્વ જ્ઞાવિશ્વામ્યો, મતિ તથાપ્યાત્મોષહતઃ ॥ ૨૮ ॥ मायाशीलः-शाठ्यस्वभावः पुरुषो यद्यपि न करोति कञ्चिदपराधमिति व्यक्तम् तथाप्यात्मदोषहतः स्वदूषणतिरस्कृत इत्यविश्वास्यो भवति । किंवत् ? सर्पवत्-सर्प इव । यथा सर्प उत्खातदशनोऽप्यविश्वसनीयो भवति एवं માયાપિ નર ત્યાર્યાર્થઃ ।।૨૮।। ગાથાર્થ– માયાના સ્વભાવવાળો પુરુષ જો કે કંઇ પણ અપરાધ કરતો નથી, તો પણ પોતાના જ દોષથી હણાયેલો તે સર્પની જેમ અવિશ્વસનીય થાય છે. ટીકાર્થ– અપરાધ કરતો નથી=વ્યક્ત (=પ્રગટ રીતે) અપરાધ કરતો નથી. ૧. આજે વધી રહેલા છૂટા-છેડાના અનેક કારણોમાં માન પણ એક કારણ છે. પ્રશમતિ ૦ ૨૫
SR No.023402
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy