________________
ઘણા વિશિષ્ટ કવિઓએ પૂર્વે પ્રશમને ઉત્પન્ન કરનાર ગ્રંથોની જે શ્રેણિઓ કહી છે. (૫) किंचात इत्याहताभ्यो विसृताः श्रुतवाक्पुलाकिकाः प्रवचनाश्रिताः काश्चित् । पारम्पर्यादुच्छेषिकाः कृपणकेन संहृत्य ॥ ६ ॥
ताभ्यः पूर्वोक्तशास्त्रपद्धतिभ्यो विसृता-गलिताः । का इत्याह-ताभ्यो विसृताः श्रुतवाक्पुलाकिका-आगमवचनधान्यावयवभूताः, ताश्च मिथ्यादृष्ट्यागमसम्बन्धिन्योऽपि भवन्तीत्याह-प्रवचनाश्रिताः-जिनशासनानुसारिण्यः, काश्चिदेव, न सर्वाः, पारम्पर्यात्-गुरुपरम्परया, उच्छेषिका-उद्धृतशेषाः, स्तोकीभूता इत्यर्थः । ततस्ताः कृपणकेन-कुत्सितरङ्केणेव, मयेत्युत्तरेण सम्बन्धः । संहृत्यમીયિત્વેતિ | ૬ ||
વળી એનાથી (=પૂર્વોક્ત જે ગ્રંથશ્રેણિઓ છે તેનાથી) શું? એમ કહે છે– ગાથાર્થ– તેમાંથી વેરાયેલા અને પ્રવચનને અનુસરનારા શ્રુતવચનરૂપ ધાન્યકણો પરંપરાથી અલ્પ જ રહ્યા છે=બચ્યા છે. અલ્પ બચેલા એ કેટલાક મૃતવચનરૂપ ધા કણોને નિંદિત ભિખારી જેવા મેં ભેગા કરીને. ટીકાર્ય- તેમાંથી=પૂર્વોક્ત શાસ્ત્રશ્રેણિઓમાંથી. પ્રવચનને અનુસરનારા– શ્રુતવચન રૂપ ધા કણો મિથ્યાષ્ટિઓના આગમસંબંધી પણ હોય છે. આથી “પ્રવચનને અનુસરનારા' એમ કહ્યું છે.
પરંપરાથીeગુરુપરંપરાથી. (ગણધર ભગવંતોએ દ્વાદશાંગીની રચના કરીને તેમના શિષ્યોને ભણાવી. ગણધરશિષ્યોએ તેમના શિષ્યોને ભણાવી. એમ પરંપરા ચાલી. તેમાં થોડું થોડું શ્રત ઓછું થતું ગયું. આથી પૂ. ઉમાસ્વાતિ મહારાજાના સમયમાં ઘણું જ અલ્પ શ્રુત રહ્યું હતું.) (૬)
૧. પુલાક શબ્દનો સાર વગરના ધાન્યના કણો એવો અર્થ થાય છે. પ્રસ્તુતમાં આ
અર્થ બરોબર ઘટે છે. પુલાક શબ્દને અલ્પ અર્થમાં સિ.હે.શ. ૭-૩-૩૩ સૂત્રથી કપ્રત્યય લાગતાં સ્ત્રીલિંગમાં પુના િશબ્દ બન્યો છે.
પ્રશમરતિ • ૯