SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથાર્થ— પાંચ જ્ઞાનના ઉત્તરભેદો તથા તે તે જ્ઞાનનો વિષય આદિ જાણવાથી જ્ઞાનનો વિસ્તારથી બોધ થાય છે. એક જીવમાં એકી સાથે એકબે-ત્રણ કે ચાર જ્ઞાન હોઇ શકે છે. ટીકાર્થ– ઉત્તરભેદો મતિજ્ઞાનના ૨૮, શ્રુતજ્ઞાનના ૧૪, અધિજ્ઞાનના ૬, મન:પર્યવજ્ઞાનના ૨ અને કેવળજ્ઞાનનો ૧ છે. આદિ શબ્દથી સ્વરૂપ, લાભ, ક્રમ, ક્ષેત્ર વગેરેનું ગ્રહણ કરવું. એક જીવમાં એક મતિજ્ઞાન હોય. શાસ્ત્રપાઠના શ્રવણના અભાવની અપેક્ષાએ (કોઇ જીવ જ્યારે શાસ્ત્રપાઠનું શ્રવણ ન કરતો હોય ત્યારે તેમાં શ્રુતજ્ઞાન નથી એ અપેક્ષાએ) એક મતિજ્ઞાન હોય. ૫રમાર્થથી તો દરેક જીવમાં મતિ અને શ્રુત એ બે જ્ઞાન હોય. તથા મતિ-શ્રુત એ બે જ્ઞાન હોય, મતિ-શ્રુત-અવધિ એ ત્રણ જ્ઞાન હોય, મતિ-શ્રુત-અવધિ-મન:પર્યવ એ ચાર જ્ઞાન હોય. કોઇ જીવને એકી સાથે પાંચ જ્ઞાન ન હોય. કારણ કે કેવળજ્ઞાન થતાં ચાર જ્ઞાનનો અભાવ થાય છે. (૨૨૬) अथ सम्यग्ज्ञानमिथ्याज्ञानयोः किंकृतो विशेषः ?— सम्यग्दृष्टेर्ज्ञानं, सम्यग्ज्ञानमिति नियमतः सिद्धम् । आद्यत्रयमज्ञानमपि, भवति मिथ्यात्वसंयुक्तम् ॥ २२७ ॥ सम्यग्दृष्टेः-क्षायिकादित्रिविधदर्शनिनो ज्ञानं - वस्तुपरिच्छेदः सम्यग्ज्ञानमिति नियमतो - नियमेन सिद्धं । किं तदित्याह - आद्यत्रयं - मतिश्रुतावधिरूपं અજ્ઞાનત્તિ-વિપરીતવોધોપિ મતિ-નાયતે । બીદાં સત્ ? મિથ્યાત્વસંયુńमिथ्यात्वोदयोपरक्तस्वभावं, अयमर्थः - तदेव मत्यादिविपर्ययमज्ञानत्रयं भण्यते, मत्यज्ञानं श्रुताज्ञानं विभङ्गमिति । जीव १ उपयोग २ भाव ३ द्रव्याणी ४ त्यधिकाराश्चत्वारः ॥ २२७ ॥ હવે સમ્યજ્ઞાન અને મિથ્યાજ્ઞાનમાં કયા કારણથી ભેદ છે તે કહે છે– ગાથાર્થ– સમ્યગ્દષ્ટિનું જ્ઞાન નિયમા સમ્યજ્ઞાન છે એમ સિદ્ધ છે. મિથ્યાત્વથી યુક્ત પ્રથમના ત્રણ જ્ઞાન અજ્ઞાન પણ છે. ટીકાર્થ સમ્યગ્દષ્ટિનું ક્ષાયિક વગેરે ત્રણ પ્રકારના સમ્યગ્દર્શનવાળાનું. પ્રશમરતિ - ૧૯૪
SR No.023402
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy