________________
ટીકાર્થ– અધોલોકમાં નીચે નીચે અધિક અધિક વિસ્તારવાળી ઘમ્મા વગેરે સાત પૃથ્વીઓ છે. તિર્થગ્લોકમાં અસંખ્ય દ્વીપસમુદ્રો છે. ઊર્ધ્વલોકમાં બાર દેવલોક, નવ ત્રૈવેયક, પાંચ અનુત્તર અને મોક્ષ એમ પંદર પ્રકાર છે. (અહીં નવપ્રૈવેયકનો એક અને પાંચ અનુત્તરનો એક પ્રકાર ગણ્યો છે.) (૨૧૨)
लोकालोकव्यापकमाकाशं मर्त्यलौकिकः कालः । लोकव्यापि चतुष्टयमवशेषं त्वेकजीवो वा ॥ २१३ ॥
लोकालोकयोः समयप्रसिद्धयोर्व्यापकमाकाशं, तत्प्रमाणमित्यर्थः । मर्त्यलोकभवः कालः । लोकव्यापि चतुष्टयं - चतुर्दशरज्ज्वात्मकाकाशखण्डव्यापि द्वयोराकाशकालयोरुद्धरितं धर्मास्तिकायादिकं । अवशेषं तु सर्वलोकस्यासंख्येयभागादिकं एकजीवः - पृथिव्यादिको व्याप्नोतीति शेषः, वाशब्दात्, समस्तलोकं व्याप्नोति, केवलिसमुद्घाते केवली, न पुनरन्य इति । अन्ये त्ववशेषमिति पदं चतुष्टयस्य विशेषणं कृत्वा व्याख्यान्ति - एकजीवो लोकं व्याप्नोति केवलिसमुद्घाते, वाशब्दादजीवोऽप्यचित्तमहास्कन्ध इत्यपि ॥ २१३ ॥
ગાથાર્થ– આકાશ લોક-અલોકમાં વ્યાપક છે, અર્થાત્ જ્યાં જ્યાં લોકઅલોક છે ત્યાં ત્યાં બધે જ આકાશ છે. કાળ (અઢી દ્વીપ પ્રમાણ) મનુષ્યલોકમાં છે. ધર્માસ્તિકાય આદિ ચાર લોકમાં વ્યાપક છે=સંપૂર્ણ લોકમાં રહેલા છે. એક જીવ અવશેષભાગમાં=સર્વ લોકના અસંખ્યાતમા ભાગ આદિમાં રહે છે તથા સંપૂર્ણ લોકવ્યાપી પણ બને છે.
ટીકાર્થ– એક જીવ સંપૂર્ણ લોકવ્યાપી બને છે એ અર્થ ગાથામાં રહેલા ‘વા’ શબ્દથી કરવામાં આવ્યો છે. કેવળી સમુદ્ધાતમાં કેવળી જ સંપૂર્ણ લોકવ્યાપી બને છે, અન્ય જીવ નહીં.
બીજાઓ અવશેષ પદને વતુછ્યું પદનું વિશેષણ કરીને વ્યાખ્યા આ
૧. જેમ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એક જ દ્રવ્ય લોકવ્યાપી બને છે, તેમ જીવ અને પુદ્ગલ એક જ દ્રવ્ય લોકવ્યાપી નથી, કિંતુ અનંત સૂક્ષ્મ જીવોની તથા અનંત સૂક્ષ્મ પુદ્ગલોની અપેક્ષાએ લોકવ્યાપી છે અથવા ક્યારેક (=કેવળી સમુદ્દાતકાળે) એક જીવ પણ લોકવ્યાપી બને છે તથા ક્યારેક એક જ પુદ્ગલ (=અચિત્ત મહાકંધ) લોકવ્યાપી બને છે.
પ્રશમરતિ ૦ ૧૮ ૧