SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ એ પાંચ અજીવ દ્રવ્ય છે. પુગલ સિવાયનાં ચાર દ્રવ્યો અરૂપી (=રૂપ રહિત) કહ્યા છે, પુદ્ગલ રૂપી છે. ટીકાર્થ– ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય-આકાશનું અનુક્રમે ગતિ-સ્થિતિઅવગાહદાન લક્ષણ છે. (આનું વિશેષ વર્ણન ૨૧૫મી ગાથામાં આવશે.) પગલો પૂરણ-ગલન સ્વભાવવાળા છે. (પૂરણ એટલે પૂરાવું ભેગા થવું. ગલન એટલે ગળવું–છૂટા થવું. પુદ્ગલો ભેગા-છૂટા થવાના સ્વભાવવાળા છે અથવા નવા-જુના થવાના સ્વભાવવાળા છે. પુદ્ગલનું વિશેષ વર્ણન ૨૧૬ વગેરે ગાથાઓમાં આવશે.) કાળ અઢીદ્વીપ-સમુદ્રમાં હોય છે. વર્તના વગેરે કાળનું લક્ષણ છે. (કાળનું વિશેષ વર્ણન ૨૧૮મી ગાથામાં આવશે.) આ પાંચેય અજીવ છે. તેમાં પુદ્ગલાસ્તિકાય સિવાય ધર્માસ્તિકાય વગેરે ચાર અરૂપી=રૂપરહિત જ છે, પુદ્ગલો રૂપી છે. (૨૦૭) द्व्यादिप्रदेशवन्तो यावदनन्तप्रदेशिकाः स्कन्धाः । परमाणुरप्रदेशो वर्णादिगुणेषु भजनीयः ॥ २०८ ॥ द्व्यादिप्रदेशवन्तो-द्वित्रिचतुष्पञ्चादिपरमाणुसंघातनिष्पन्ना यावदनन्तप्रदेशिकाश्च-अनन्तानन्तपरमाणूपचयघटितमूर्तयः स्कन्धा-अवयविनो, यः पुनस्तेषां कारणं स परमाणुः, न ततोऽप्यन्यो लघुरस्तीति, अत एवाप्रदेशः, अपद्रव्यविकलत्वात्, वर्णादिगुणेषु च-वर्णगन्धरसस्पर्शेषु च एकगुणाद्यनन्तगुणेषु च भजनीयो निश्चेतव्यो वा, तानङ्गीकृत्यासौ सप्रदेश एव, तदुक्तम्-'कारणमेव तदन्त्यं सूक्ष्मो नित्यश्च भवति परमाणुः । एकरसवर्णगन्धो द्विस्पर्शः #ાર્યાનિશ || 2 i' | ર૦૮ .' ગાથાર્થ સ્કન્ધો બે વગેરે પ્રદેશવાળા યાવત્ અનંતપ્રદેશવાળા હોય છે. પરમાણુ પ્રદેશથી રહિત છે. વર્ષાદિગુણોમાં પરમાણુ ભજનીય છે, અર્થાત્ પરમાણુમાં રૂપાદિગુણોનું પ્રમાણ અનિયત હોય છે. ટીકાર્થ– કોઇ સ્કંધ બે પરમાણુના ભેગા થવાથી, કોઈ સ્કંધ ત્રણ પરમાણુના ભેગા થવાથી, કોઈ સ્કંધ ચાર પરમાણુના ભેગા થવાથી, કોઇ સ્કંધ પાંચ પરમાણુના ભેગા થવાથી યાવતુ કોઇ સ્કંધ અનંતાનંત પરમાણુના ભેગા થવાથી બને છે. સ્કંધ એટલે અવયવી. પ્રશમરતિ - ૧૭૫
SR No.023402
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy