SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ છે. એકેન્દ્રિય આદિના ભેદથી તિર્યંચ અનંત છે અને ઘણા છે. તેથી તિર્યંચની સંખ્યાથી મનુષ્યો નથી અને મનુષ્યોની સંખ્યાથી તિર્યંચો નથી. મારિ પદનું ગ્રહણ કર્યું હોવાથી નામ (અને સ્થાપના) વગેરેથી પણ અસ્તિત્વ નાસ્તિત્વની વિચારણા કરવી. લક્ષણો– આત્મા જેમનાથી ઓળખાય=જણાય તે લક્ષણો. તે લક્ષણો આ છે– ચિત્ત, ચેતના, સંજ્ઞા, વિજ્ઞાન, ધારણા, બુદ્ધિ, ઈહા, મતિ અને વિતર્ક- આ જીવનાં લક્ષણો છે. ચિત્ત=સામાન્યથી અતીત-અનાગત-વર્તમાનને ગ્રહણ કરનારું. ચેતના=પ્રત્યક્ષ વર્તમાન અર્થને ગ્રહણ કરનારી. સંજ્ઞા આ તે છે એવું પ્રત્યભિજ્ઞાન. વિજ્ઞાન વિવિધજ્ઞાન, અર્થાત્ અનેક ધર્મવાળી વસ્તુમાં તે તે પ્રમાણે દૃઢનિશ્ચય. ધારણા આ અમુક વસ્તુ છે એવો નિર્ણય થયા બાદ તેનો ઉપયોગ ટકી રહે તે ધારણા. ધારણાના અવિસ્મૃતિ, વાસના અને સ્મૃતિ એમ ત્રણ ભેદ છે. અવિશ્રુતિ નિર્ણય થયા બાદ તે વસ્તુનો ઉપયોગ ટકી રહે તે અવિશ્રુતિ ધારણા. વાસના=અવિશ્રુતિ રૂપ ધારણાથી આત્મામાં તે વિષયના સંસ્કાર પડે છે. આ સંસ્કાર એ જ વાસના ધારણા. સ્મૃતિ=આત્મામાં પડેલા જ્ઞાનના સંસ્કારો નિમિત્ત મળતાં જાગૃત બને છે. એથી આપણે પૂર્વાનુભૂત વસ્તુ કે પ્રસંગને યાદ કરીએ છીએ. પૂર્વાનુભૂતવસ્તુનું કે પ્રસંગનું સ્મરણ તે સ્મૃતિ ધારણા. બુદ્ધિ પદાર્થ સંબંધી તર્ક. ઈહા=આ સ્થાણુ છે કે પુરુષ એવી વિદ્યમાન વસ્તુ સંબંધી વિચારણા. મતિ મસ્તક ખંજવાળવું વગેરે જ્ઞાન થવાથી આ પુરુષ જ છે એવી મતિ. પ્રશમરતિ • ૧૬૧
SR No.023402
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy