________________
તેમાં ગાથાના દ્રવ્યાત્મત્યુપાર: સર્વદ્રવ્યપુ નવિશેષે એ પૂર્વાર્ધનો ભાવાર્થ આ છે- સામાન્યગ્રાહી નયથી અજીવ સર્વદ્રવ્યોમાં દ્રવ્યાત્મા એ પ્રમાણે ઉપચાર (વ્યવહાર) કરવામાં આવે છે. સામાન્યગ્રાહી નય આત્મા શબ્દના અર્થને પકડે છે. એ કહે છે કે, તમે આત્મા શબ્દના અર્થને વિચારો. જે (અતતીત્યાત્મા) અન્વય રૂપે પર્યાયોમાં ગમન કરે તે આત્મા એવો આત્મા શબ્દનો અર્થ છે. જેમ જીવ સ્વપર્યાયમાં અન્વય રૂપે ગમન કરે છે=રહે છે, તેમ અજીવ દ્રવ્યો પણ સ્વસ્વના પર્યાયોમાં અન્વયરૂપે ગમન કરે છે=રહે છે. આથી આત્મા શબ્દનો અર્થ જીવ અજીવ બંનેમાં લાગુ પડે છે. તો પછી જીવદ્રવ્યમાં આત્મા શબ્દનો પ્રયોગ કરવો અને અજીવ દ્રવ્યમાં ન કરવો એ ક્યાંનો ન્યાય ! અજીવ દ્રવ્યોમાં પણ આત્મા શબ્દનો વ્યવહાર કરવો જોઈએ. આથી સામાન્યગ્રાહી નયની દષ્ટિએ સર્વદ્રવ્યોમાં આત્મા શબ્દનો વ્યવહાર કરવામાં આવે છે. ( [માત્માદેવાત્મા જૈનદર્શનમાં દરેક વિષયની વિચારણા અનેકાંતવાદના (=અપેક્ષાવાદના) આધારે થાય છે. આથી દરેક વસ્તુનું અસ્તિત્વ (=હોવું) અને નાસ્તિત્વ (=ન હોવું) એકાંતે નથી, કિંતુ અપેક્ષાએ છે અને અપેક્ષાએ નથી. દરેક વસ્તુ સ્વરૂપે સત્ (કવિદ્યમાન) છે અને પરરૂપે અસત્ (=અવિદ્યમાન) છે. દા.ત. ઘટ સ્વરૂપે (=ઘટરૂપે) સતુ છે, પણ પરરૂપે (કપટરૂપે) અસતુ છે. જો ઘટ પટરૂપે પણ સતુ હોય તો તેને પટ પણ કહેવો જોઇએ અને પટનાં કાર્યો ઘટથી થવા જોઈએ, પણ તેમ નથી. આપણે બોલીએ પણ છીએ કે આ ઘટ છે, પટ નથી. આનો અર્થ એ જ છે કે ઘટ પટ રૂપે નથી=અસત્ છે. આમ દરેક વસ્તુના અસ્તિત્વનો અને નાસ્તિત્વનો વિચાર અપેક્ષાવાદથી કરવો જોઇએ.
હવે ગાથાના માત્માશલિાત્મા મવત્યનાભા પરાશાત્ એ ઉત્તરાર્ધનો ભાવાર્થ આ છે– મતતિત્યાત્મિા=જે અન્વય રૂપે પર્યાયોમાં ગમન કરે તે આત્મા એવા (માત્માશGિ) આત્મશબ્દના અર્થની વિવક્ષાથી (માત્મા મતિ=)આત્મા થાય છે કહેવાય છે. આત્મ શબ્દનો આ અર્થ અજીવ દ્રવ્યોમાં પણ ઘટતો હોવાથી અજીવદ્રવ્યો પણ દ્રવ્યાત્મા છે. (પરાશા=) અજીવ જીવ નથી એમ પરસ્વરૂપના કથનથી અજીવદ્રવ્યો (અનાત્મિe) આત્મા નથી=દ્રવ્યાત્મા નથી. (૨૦૨)
પ્રશમરતિ ૦ ૧૫૯