________________
ઉત્તર- સંસારી ચેતનો મતઃ એવું વચન છે. આ વચન પ્રમાણે સંસારી એટલે ચૈતન્યવાળા જીવો. સિદ્ધો પણ ચૈતન્યવાળા છે. આથી સંસારાં પદથી સંસારી અને સિદ્ધો એ બધા જીવોનું ગ્રહણ થાય. (૨૦૧)
द्रव्यात्मेत्युपचारः, सर्वद्रव्येषु नयविशेषेण । આભાવેશાવાત્મા, મવત્યનાત્મા પરાવેશાત્ ॥ ૨૦૨ ॥
द्रव्यात्मेति यदुक्तं तत्किं तत्त्वत उतान्यथा ?, अन्यथेत्याह-द्रव्यात्मेति यत्पूर्वमुक्तं सर्वद्रव्येषु तदुपचारतो - व्यवहाराच्छब्दनिबन्धनात् न तत्त्वतः, आत्मनो जीवरूपत्वात् सर्वद्रव्याणां जीवाजीवरूपत्वात्, किंतु स्वस्वरूपवाचके आत्मध्वनौ नयविशेषेण- सामान्यग्राहिणा नयभेदेन गृह्यमाणे कथञ्चिदयमपि घटत इति । यत आत्मादेशात्-स्वरूपाभिधानादात्मा भवति, भवत्यनात्मा च परादेशात्, स्वपररूपापेक्षया सदसद्रूपं वस्तु, जैनानां प्रसिद्धमिदमिति ॥ २०२ ॥
છ દ્રવ્યોનો આત્મા દ્રવ્યાત્મા છે એમ જે કહ્યું તે પરમાર્થથી કહ્યું છે કે બીજી રીતે ? બીજી રીતે કહ્યું છે એમ કહે છે–
ગાથાર્થ-ટીકાર્થ સર્વ દ્રવ્યોમાં દ્રવ્યાત્મા છે એમ પૂર્વે જે કહ્યું તે શબ્દ જેનું કારણ છે એવા વ્યવહારનયથી કહ્યું છે, નહિ કે ૫૨માર્થથી. કારણ કે આત્મા જીવરૂપ છે અને સર્વદ્રવ્યો જીવ-અજીવ સ્વરૂપ છે, અર્થાત્ સર્વદ્રવ્યો કેવળ જીવસ્વરૂપ નથી. આમ છતાં પોતાના સ્વરૂપનો (=અતતીત્યાત્મા એવા સ્વરૂપનો) વાચક આત્મશબ્દનું ગ્રહણ કરવામાં સામાન્યગ્રાહી નયવિશેષથી કથંચિત્ આ પણ ઘટે છે=સર્વ દ્રવ્યોમાં દ્રવ્યાત્મા છે એ પણ ઘટે છે. કારણ કે સતતીત્યાત્મા એવા સ્વરૂપને કહેવાથી આત્મા થાય છે=કહેવાય છે. પરના આદેશથી અનાત્મા થાય છે=આત્મા નથી કહેવાતો. કોઇ પણ વસ્તુ સ્વરૂપથી સત્ છે અને પરરૂપથી અસત્ છે એ સિદ્ધાંત જૈનોમાં પ્રસિદ્ધ છે.
અહીં ભાવાર્થ આ પ્રમાણે છે–
જીવ ચેતન હોવાથી આત્મા=દ્રવ્યાત્મા કહેવાય. પણ અજીવ તો જડ છે, આત્મા (=જીવ) નથી. આથી અજીવરૂપ પાંચ દ્રવ્યો આત્મા=દ્રવ્યાત્મા કેમ કહેવાય ? આ પ્રશ્નનો ઉત્તર આ ગાથામાં આપવામાં આવ્યો છે.
પ્રશમરતિ ૦ ૧૫૮