________________
अभिधास्ये । कुत इत्याह-जिनशासनात्-सर्वज्ञागमात् । किञ्चिद्-अल्पं, प्रशमरतिप्रकरणमिति तात्पर्यम् । तत्र सार्धाऽऽर्यया मङ्गलमभिहितम्, आर्याऽर्धेन तु सप्रतिशं प्रयोजनादित्रयम् । तत्र प्रशमरतिस्थैर्यार्थमित्यनेन गुरुशिष्ययोरैहिकामुष्मिकं प्रयोजनं प्रतिपादितम्, वक्ष्ये इति प्रतिज्ञा, जिनशासनादिति पदेन गुरुपर्वक्रमलक्षणः सम्बन्धः यद्वा आधाराधेयरूपः सम्बन्धः, तत्र जिनशासनमाधारः, प्रशमरतिराधेया । अभिधेयं तु किञ्चिदिति પર્વતમ્ ! ફાર્યોદયાર્થ. / ૨ //
આ પ્રમાણે અહીં ભરતક્ષેત્રના (વર્તમાન અવસર્પિણીના) જિનોને નમસ્કાર કરીને હવે સામાન્યથી પંચપરમેષ્ઠીની સ્તુતિને કહે છે
ગાથાર્થ-જિનો, સિદ્ધો, આચાર્યો, ઉપાધ્યાયો અને સર્વસાધુઓને પ્રણામ કરીને પ્રશમરતિમાં સ્થિરતા કરવા માટે જિનશાસનમાંથી કંઈક કહીશ. ટીકાર્થ– જિનો-રાગ-દ્વેષને જીતનારા. સિદ્ધો-સિદ્ધિને પામેલા જીવો. આચાર્યો=આચાર્યો પાંચ પ્રકારના આચારોમાં રત હોય છે. ઉપાધ્યાયોઃઉપાધ્યાયો સૂત્રોનું દાન કરે છે. સર્વ સાધુઓને=ભરત વગેરે ક્ષેત્રમાં રહેલા સર્વ સાધુઓને.
પ્રશમરતિમાં સ્થિરતા કરવા માટે– ઉપશમભાવ ઉપર થયેલા પ્રેમને સ્થિર કરવા માટે. જિનશાસનમાંથી=સર્વજ્ઞ પ્રણીત આગમમાંથી. કંઈક કહીશ=અલ્પ કહીશ. પ્રશમરતિ પ્રકરણને કહીશ એવો તાત્પર્યાર્થ છે.
આ બે આર્યાઓમાં દોઢ આર્યાથી મંગલ કહ્યું છે. અર્ધી આર્યાથી પ્રતિજ્ઞા સહિત પ્રયોજન-સંબંધ-અભિધેય એ ત્રણનું કથન કર્યું છે. તેમાં પ્રશમરતિશ્ચર્થ” ( પ્રશમરતિમાં સ્થિરતા માટે) એ પદથી ગુરુ અને શિષ્યનું આ લોકસંબંધી અને પરલોકસંબંધી પ્રયોજન કહ્યું છે. (ગુરુનું આ લોકસંબંધી પ્રયોજન– શિષ્યોની પ્રશમરતિમાં સ્થિરતા થાય.
પ્રશમરતિ • ૪