________________
तानेवाह- द्रव्यं-द्रव्यात्मा कषाययोगौ-कषायात्मा योगात्मा, एवमुपयोगादिष्वात्मा योज्यः, इत्यष्टविधा मार्गणा-अन्वेषणा तस्य-जीवस्येति ॥ १९९ ॥
તે ભેદોને જ કહે છે– ગાથાર્થ– દ્રવ્યાત્મા, કષાયાત્મા, યોગાત્મા, ઉપયોગાત્મા, જ્ઞાનાત્મા, દર્શનાત્મા, ચારિત્રાત્મા અને વીર્યાત્મા - આ આઠ પ્રકારે આત્માની વિચારણા કરવી જોઇએ. (૧૯)
जीवाजीवानां द्रव्यात्मा सकषायिणां कषायात्मा । योगः सयोगिनां पुनरुपयोगः सर्वजीवानाम् ॥ २०० ॥
एतानेव आर्याद्वयेनाह-जीवाजीवानां-सचेतनाचेतनानां षण्णां द्रव्याणां यद् द्रव्यं-स्थित्यंशरूपं तदात्मा भण्यते, नहि तानि ताद्रूप्यं कदाचन त्यजन्तीति कृत्वा, सकषायिणां-कषायोपरक्तचेतनानां कषायात्मा-कषायप्रधान आत्माजीवो, मिथ्यादृष्ट्यादिसूक्ष्मसम्परायान्तानां स ज्ञेयः, योगो-योगप्रधान आत्मा सयोगिनां-त्रयोदशगुणस्थान(पर्यन्त)वर्तिनां ज्ञेयः, एतेषु यथासंभवं मनोवाक्कायभेदानां संभवात्, पुनरुपयोगः-साकारानाकाररूपः सर्वजीवानांસિદ્ધાનાં સંસરિણાં વેતિ | ૨૦૦ ||
જીવના આઠ ભેદોને જ બે ગાથાઓથી કહે છેગાથા-ટીકાર્થ– (૧) દ્રવ્યાત્મા=(કોઇપણ વસ્તુમાં સ્થિર અંશ અને અસ્થિર અંશ એમ બે અંશ હોય છે. જેમ કે સુવર્ણહારમાં સુવર્ણ સ્થિર અંશ છે. હાર અસ્થિર અંશ છે. જેમ કે હારને ભાંગીને ઝાંઝર વગેરે બનાવી શકાય છે. ઝાંઝર અને હારમાં સુવર્ણ અંશ સ્થિર=કાયમ રહે છે. અહીં દ્રવ્ય એટલે સ્થિર અંશ. સ્થિર અંશરૂપ જે આત્મા તે દ્રવ્યાત્મા. જીવ અને અજીવ એ છ દ્રવ્યો સ્થિર અંશરૂપ હોવાથી છ દ્રવ્યોનો આત્મા દ્રવ્યાત્મા છે. કારણ કે છ દ્રવ્યો ક્યારેય સ્થિર અંશનો ત્યાગ કરતા નથી.
(૨) કષાયાત્મા=જેમનું ચૈતન્ય કષાયોથી રંગાયેલું છે તે જીવોનો આત્મા કપાયાત્મા છે. કષાયની પ્રધાનતાવાળો જીવ તે કષાયાત્મા. મિથ્યાષ્ટિ ગુણસ્થાનકથી આરંભી સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક સુધીના જીવોનો આત્મા કષાયાત્મા છે.
પ્રશમરતિ • ૧પ૬