________________
तप आह
अनशनमूनोदरता, वृत्तेः संक्षेपणं रसत्यागः । कायक्लेशः संलीनतेति बाह्यं तपः प्रोक्तम् ॥ १७५ ॥
तत्र देशतोऽनशनं चतुर्थभक्तादि षण्मासान्तं तथा अपरं सर्वतो भक्तप्रत्याख्यानमिङ्गिनीमरणं पादपोपगमनं चेति । ऊनोदरता- द्वात्रिंशत्कवलेभ्यो यथाशक्ति न्यूनयत्याहारं यावदष्टकवलाहारः, अत्र गाथा - 'अप्पाहार ८ अवड्ढा १२ ( ग्रंथ १०००) दुभाग १६ पत्ता २४ तहेव किंचूणा ३१ । अदुवालससोलसचडवीस तहेक्कतीसा य ॥ १ ॥' वृत्तिः- वर्तनं भिक्षा तस्याः संक्षेपणं - मयैतावत्सु गृहादिषु भिक्षा अद्य ग्राह्या ३ । रसत्यागो - दुग्धादिपरिहारः ૪ | ાયજ્ઞેશ:-શોત્વાટનાવિ: | સંલીનતા-ફન્દ્રિયનોન્દ્રિયસંવૃતત્વ ૬ । વાહ્યં તપ: પ્રોń રૂતિ ॥ ૧૭૬ ॥
તપને કહે છે–
ગાથાર્થ અનશન, ઊણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયક્લેશ, સંલીનતા એ છ પ્રકારનો બાહ્ય તપ કહ્યો છે.
ટીકાર્થ– અનશન=અનશનના દેશથી અને સર્વથી એમ બે પ્રકાર છે. તેમાં ઉપવાસ આદિથી પ્રારંભી છ માસ સુધીનો તપ દેશથી અનશન છે. સર્વથી અનશનના ભક્તપ્રત્યાખ્યાન, ઇંગિની મરણ અને પાદપોપગમન એમ ત્રણ પ્રકાર છે.
ઊણોદરી=યથાશક્તિ બત્રીશ કોળિયા આહારથી ન્યૂન આહાર કરે, યાવત્ આઠ કોળિયા આહાર કરે.
અહીં ગાથા આ પ્રમાણે છે– ઊણોદરીના અલ્પાહાર, અપાર્ક, દ્વિભાગ, પ્રાપ્ત અને કિંચિદ્ ઊન એમ પાંચ પ્રકાર છે. તેમાં એક કોળિયાથી આરંભી આઠ કોળિયા સુધી અલ્પાહાર ઊણોદરી છે. નવ કોળિયાથી આરંભી બાર
૧. બાહ્યમાં=જૈનેતરોમાં પણ પ્રસિદ્ધ છે. બાહ્યથી=બહારથી તપ તરીકે દેખાય છે. બાહ્ય શરીર વગેરેને તપાવે છે. બહારથી જોઇને લોકો તપસ્વી કહે છે. આ કારણોથી આ તપ બાહ્ય તપ છે.
પ્રશમરતિ • ૧૩૨