________________
નામના સાત અધ્યયનો (ત્રીજી ચૂલિકાનું) ભાવના અધ્યયન (ચોથી ચૂલિકાનું) વિમુક્તિ અધ્યયન એમ નવ અધ્યયનો બીજી આર્યાથી કહેવામાં આવે છે–
ગાથાર્થ– (૧) સ્થાનક્રિયા– કાયોત્સર્ગ આદિનું સ્થાન જોવાનું કહ્યું છે. (૨) નિષઘાક્રિયા– સ્વાધ્યાયને યોગ્ય સ્થાનનું વર્ણન છે. (૩) વ્યુત્સર્ગક્રિયા– મલ-મૂત્ર આદિના ત્યાગનું વર્ણન છે. (૪) શબ્દક્રિયા– સંભળાતા શબ્દોમાં રાગ-દ્વેષનો ત્યાગ કરવાનું કહ્યું છે. (૫) રૂપક્રિયા– જોવામાં આવેલા રૂપોમાં રાગ-દ્વેષનો ત્યાગ કરવાનું કહ્યું છે.
(૬) પરક્રિયાપગ ધોવા આદિની ક્રિયા બીજાની પાસે નહિ કરાવવાનો ઉપદેશ છે.
(૭) અન્યોન્યક્રિયા– એકબીજાની પાસે પગ ધોવરાવવા આદિની ક્રિયા નહિ કરાવવાનો ઉપદેશ છે.
(ત્રીજી ચૂલિકામાં) પાંચ મહાવ્રતોમાં દઢતા કરવાનો ઉપાય કહ્યો છે. (ચોથી ચૂલિકામાં) સર્વ સંગોથી મુક્ત બનવાનો ઉપદેશ છે. (૧૧૭)
साध्वाचारः खल्वयमष्टादशपदसहस्रपरिपठितः । सम्यगनुपाल्यमानो, रागादीन् मूलतो हन्ति ॥ ११८ ॥
अस्यैव फलमाह-साध्वाचारः पूर्वोक्ताध्ययनरूपकथितस्वरूपः । खलुनिश्चयेनायं प्रत्यक्षः । कथंभूतः ? अष्टादशेति संख्या पदानां-'सुप्तिङन्तानामर्थसमाप्तिरूपाणां वा सहस्राणि-संख्याविशेषाः, ततोऽष्टादश च तानि पदसहस्राणि च तैः परिपठितः-अधीतः, प्रतिपादित इत्यर्थः । तानि वा परिपठितानि यत्र स तथा । अष्टादशसहस्रप्रमाण इत्यर्थः । किं करोतीत्याहसम्यग्-अवितथं समनुपाल्यमानः-पठनादिभिरासेव्यमानो रागादीन् मूलतः(jo ૭૦૦) સર્વથા તિ-વિનાશયતીતિ | ૨૨૮ // ૧. આચારાંગમાં પાંચ ચૂલિકાઓ છે. પણ ઘણા પ્રાચીનકાળથી પૂર્વાચાર્યોએ પાંચમી
નિશીથ ચૂલિકાને આચારાંગથી અલગ પાડી છે. તેમાં પ્રાયશ્ચિત્તનો વિષય આવે છે. ૨. સુન્ એટલે શબ્દના પ્રત્યયો અને તિઃ એટલે ધાતુના પ્રત્યયો.
પ્રશમરતિ • ૯૨