________________
આ પ્રમાણે સામાન્યથી આચારાંગ સૂત્રના અર્થને આશ્રયીને પાંચ પ્રકારનો આચાર કહ્યો. હવે આચારાંગ સૂત્રના જ અધ્યયનોને આશ્રયીને વિવિધ પ્રકારના આચારને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર આચારાંગના પ્રથમ શ્રુતસ્કંધના નવ અધ્યયનોને આશ્રયીને આચારના નવ પ્રકારને બે આર્યાઓથી કહે છે
ગાથાર્થ– આચારાંગ સૂત્રના શસ્ત્રપરિજ્ઞા નામના પ્રથમ અધ્યયનમાં સાધુને છ જીવ નિકાયની યતના કરવાનું કહ્યું છે. લોકવિજય નામના બીજા અધ્યયનમાં પિતા, દાદા આદિ લૌકિક સંબંધની જે પરંપરા, તે પંરપરાના અભ્યત્થાન વગેરે ગૌરવનો ત્યાગ કરવાનું કહ્યું છે. શીતોષ્ણ નામના ત્રીજા અધ્યયનમાં બાવીસ પરિષદોનો વિજય (=સહન કરવાથી પરાભવ) કરવાનું કહ્યું છે. સમ્યક્ત્વ નામના ચોથા અધ્યયનમાં સમ્યકત્વ નિશ્ચલપણે ધારણ કરવું જોઇએ. આવંતીક નામના પાંચમા અધ્યયનમાં સંસારથી ઉદ્વેગ પામવાનું કહ્યું છે. ધૂત નામના છઠ્ઠા અધ્યયનમાં કર્મોના નાશનો સૂક્ષ્મ ઉપાય કહ્યો છે. મહાપરિજ્ઞા નામના સાતમા અધ્યયનમાં વેયાવચ્ચમાં ( ગુરુ આદિનું ભોજન લાવવું વગેરે ક્રિયામાં) ઉદ્યમ કરવો એમ કહ્યું છે. મોક્ષ નામના આઠમાં અધ્યયનમાં તપના પ્રકારો કહ્યા છે. ઉપધાન શ્રત નામના નવમા અધ્યયનમાં સ્ત્રીઓનો ત્યાગ કરવાનું કહ્યું છે. (૧૧૪-૧૧૫)
सांप्रतं द्वितीये श्रुतस्कन्धे षोडशाध्ययनात्मकेऽध्ययनस्वरूपमार्याद्वयेनाहविधिना भक्ष्यग्रहणं, स्त्रीपशुपण्डकविवर्जिता शय्या । ईर्याभाषाऽम्बरभाजनैषणाऽवग्रहाः शुद्धाः ॥ ११६ ॥
विधिना भैक्ष्यग्रहणं इति द्वितीयश्रुतस्कन्धे पिण्डैषणाध्ययने प्रथमे उक्तं । तथा स्त्रीपशुपण्डकविवर्जिता शय्या ग्राह्येति शय्याख्ये द्वितीयेऽध्ययने उक्तं । द्वितीयश्रुतस्कन्धेऽध्ययने इति पदद्वयं इत ऊर्ध्वं सर्वत्र द्रष्टव्यम् । तथा ईर्याचंक्रमणं, भाषा तु जल्पनं, अम्बरभाजनयोः-वस्त्रपात्रयोरेषणा, तथाऽवग्रहोदेवेन्द्रराजगृहपतिसागारिकसाधर्मिकेभ्यो विहारादेर्मुत्कलापनं, तत एतेषां पञ्चानां पदानां द्वन्द्वसमासस्ते तथा । कीदृशाः ? शुद्धाः-शुद्धिमन्तः । शुद्धशब्दः पञ्चस्वपि योज्यः । संप्रति यथासंख्यमध्ययनेषु योज्यते-तत्र्याशुद्धिर्याख्ये
પ્રશમરતિ • ૯૦