________________
શ્રી કુલક સમુચ્ચય
संवेगमंजरी कुलकम्
(ર્તા : અજ્ઞાત)
सद्देसणमलयानिल-मंजरिअविसुद्धभावसहयारो । जयइ जयाणंदयरो, वसंतसमउव्व जिणवीरो ।। १ ।। संसारसायरं दुत्तरंपि लीलाइ किल समुत्तिणा । संवेगपवहणगया, सप्पुरिसा भरहमाईआ ।। २ ।। तारे जीव ! तुमंपि हु लहिउं मणुअत्तणाइसामग्गिं । संवेगपवहणगओ, भवजलहिं कीस न तरेसि ? ।। ३ ।। न पुणो पुणो वि एअं, तुह संभावेमि जीव ! सामाग्गिं । तारे हारेसि कहं, पमायमइराइ उम्मत्तो ? ।।४।
१८
८०
શ્રમણ ભગવાન મહાવીર જાણે વસંત ઋતુ બનીને અવતર્યા. દેશનાના વાસંતી વાયરા વહેતા મૂક્યા અને ભવ્ય જનોના હૈયાના ભાવની મંજરીઓ જાણે મહોરી ઉઠી. એ વસંતનો સદા જય હો !||૧||
ભરત મહારાજા જેવા મહાપુરુષો સંવેગરુપી જહાજને પામીને દુસ્તર એવા સંસાર સાગરને લીલામાત્રમાં-૨મતાં રમતાં તરી ગયા ||૨||
તો હે આત્મન્ ! મનુષ્ય જન્માદિ સામગ્રી તને મળી જ છે, એનો લાભ લઇ સંવેગ રુપી નાવડીના સહારે ભવસાગરને પાર પામવાનો પ્રયાસ તું શા માટે નથી કરતો ? ।।૩।।
હે આત્મન્ ! હું નથી માનતો કે આવો અવસર વારંવાર તને મળે. તું તો પ્રમાદના નશામાં ઉન્મત્ત બનીને આ સામગ્રીને શા માટે વેડફી રહ્યો છે ? ||૪||