________________
૬૩
જીવાનુશાસ્તિ કુલકમ્ १४) जीवानुशास्ति कुलकम् | रे जीव ! किं न बुज्झसि, चउगइसंसारसायरे घोरे । भमिओ अणंतकालं, अरहट्टघडिव्व जलमज्झे ।।१।। रे जीव ! चिंतसु तुमं, निमित्तमित्तं परो हवइ तुज्झ । असुहपरिणामजणियं, फलमेयं पुव्वकम्माणं ।।२।। रे जीव ! कम्मभरियं, उवएसं कुणसि मूढ ! विवरीअं । दुग्गइगमणमणाणं, एस च्चिय हवइ परिणामो ।।३।। रे जीव ! तुमं सीसे, सवणा दाऊण सुणसु मह वयणं । जं सुक्खं न वि पाविसि, ता धम्मविवज्जिओ नूणं ।।४।। रे जीव ! मा विसायं, जाहि तुमं पिच्छिऊण पररिद्धी। धम्मरहियाण कुत्तो ! संपज्जइ विविहसंपत्ती ।।५।।
હે જીવ ! પાણીમાં રેંટની ઘડીઓ ભમે તેમ ચારગતિરુપ ભયંકર સંસાર સમુદ્રમાં અનંતકાળથી તું ભમ્યો, છતાં કેમ બોધ પામતો નથી. ||૧||
હે જીવ ! તારા આ ભવ ભ્રમણમાં બીજો તો નિમિત્ત માત્ર જ છે, ખરી રીતે તેં જ આ બધું) અશુભ પરિણામથી ઉત્પન્ન કરેલું પૂર્વ કર્મોનું ફલ છે, એ તું વિચારી જો. પારસી
હે મૂઢ જીવ ! તું પાપ કર્મથી ભરેલો વિપરીત ઉપદેશ કરે છે. દુર્ગતિમાં જવાની ઇચ્છાવાળાઓના મનમાં આવો વિપરીત જ પરિણામ હોય. અર્થાત્ એ તારી ભાવિ દુર્ગતિનું લક્ષણ છે. [૩
હે જીવ ! તું મસ્તકે કાન લગાડીને-એકાગ્ર થઇને મારું વચન સાંભળ, તું જે સુખ પામતો નથી તેથી ખરેખર તું ધર્મરહિત જ છે. ૪
હે જીવ ! બીજાની ઋદ્ધિ જોઇને તું વિષાદ કરીશ નહી. ધર્મ વિનાના જીવોને વિવિધ પ્રકારની સંપત્તિઓ ક્યાંથી પ્રાપ્ત થાય ? પIT