________________
પંચસૂત્ર
८४
ચોથું સૂત્ર
સૂત્ર-ટીકાર્થ– આ પ્રમાણે ઉક્ત વિધિ વડે પ્રવ્રજિત બનેલો પ્રસ્તુત મુમુક્ષુ સારી વિધિ પાળવાના કારણે ક્રિયાના ફળથી જોડાય છે, અર્થાત્ આ =ચારિત્ર સ્વીકારવાની) ક્રિયા સારી હોવાથી વિધિપૂર્વક કરવાથી ક્રિયાના ફળને પામે છે. તે મુમુક્ષુ વિશુદ્ધચારિત્રવાળો અને મહાસત્ત્વવાળો હોવાથી મિથ્યાજ્ઞાનરૂપ વિપરીતપણાને પામતો નથી. મિથ્યાજ્ઞાનરૂપ વિપરીતપણાના અભાવમાં અભિપ્રેતની સિદ્ધિ થાય છે. કારણ કે (સાચા) ઉપાયમાં પ્રવૃત્તિ થાય છે. સામાન્ય નૈવ આ (=વિપરીતપણાના અભાવમાં (સાચા) ઉપાયમાં પ્રવૃત્તિ થાય છે એ) માત્ર સામાન્યથી સમજવું. વિશેષથી તો ઉપાયમાં પ્રવૃત્તિ કરવા માટે વિપરીતપણાના અભાવની સાથે ઇષ્ટસાધક સામગ્રી પણ જોઇએ. આનાથી એટલું નિશ્ચિત થાય કે મિથ્યાજ્ઞાનના અભાવમાં ખોટા ઉપાયમાં પ્રવૃત્તિ ન થાય, અને ઇષ્ટ સાધક સામગ્રી મળે તો સાચા ઉપાયમાં પ્રવૃત્તિ થાય. અથવા સામાન્ચેનૈવ એ પદનો અર્થ આ પ્રમાણે છેમિથ્યાજ્ઞાનરૂપ વિપરીતપણાના અભાવમાં (સાચા) ઉપાયમાં પ્રવૃત્તિ થતી હોવાથી અભિપ્રેતની સિદ્ધિ થાય છે એ સામાન્યથી જ સમજવું, વિશેષથી નહિ. કારણ કે પૂર્વબદ્ધકર્મના ઉદયથી નંદિષેણ મુનિ વગેરેની જેમ અભિપ્રેતની સિદ્ધિ ન પણ થાય.
ઉપાયમાં જ પ્રવૃત્તિ શાથી થાય છે તે કહે છે-મિથ્યાજ્ઞાનરૂપ વિપરીતપણાને નહિ પામેલો જીવ અનુપાયમાં (=ખોટા ઉપાયમાં) પ્રવૃત્તિ કરે નહિ. અભ્રાન્ત પુરુષની આ જ અભ્રાન્તિ છે કે (સાચા) ઉપાયમાં પ્રવૃત્તિ થાય. જો અનુપાયમાં (Rખોટા ઉપાયમાં) પ્રવૃત્તિ થાય તો પ્રવૃત્તિ કરનાર પુરુષમાં જ ભ્રાન્તિ છે.
આ પ્રમાણે પણ કેમ છે તે કહે છે-ઉપાય નિયમા ઉપયનો (કાર્યનો) સાધક છે, અર્થાત્ કારણ નિયમા કાર્યને કરે છે.
જેનામાં જે કાર્યને ઉત્પન્ન કરવાનો સ્વભાવ નથી તેનામાં તે કાર્યના કારણપણાનો યોગ ન હોય, અર્થાત્ તેને તે કાર્યનું કારણ ન મનાય. જો જેનામાં જે કાર્યને ઉત્પન્ન કરવાનો સ્વભાવ ન હોય તેને તે કાર્યનું કારણ માનવામાં આવે તો અતિપ્રસંગ આવે.
આ જ વિષયને તરસ તત્તવ્યાપ્યો ઇUEા ગરૂપસંગો એ સૂત્રથી ગ્રંથકાર
કહે છે
પોતાના કાર્યને સિદ્ધ ન કરનાર ઉપાયના પોતાના તત્ત્વનો (=ઉપાયપણાનો) ત્યાગ જ થાય, અર્થાત્ પોતાના કાર્યને સિદ્ધ ન કરનાર કારણને કારણ જ ન