SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસૂત્ર ત્રીજું સૂત્ર સૂત્રાર્થ– તે દષ્ટાંત આ પ્રમાણે છે-માતા-પિતા પ્રત્યે રાગવાળો કોઇ પુરુષ કોઇ કારણસર'માતા-પિતા સાથે જંગલમાં ગયો હોય, ત્યાં માતા-પિતાને જલદી અવશ્ય મરણ નિપજાવનાર મહાન રોગ થાય, તે રોગ માત્ર તે પુરુષથી દૂર કરી શકાય તેવો ન હોય, કિંતુ ઔષધિથી કદાચ દૂર થાય તેવો હોય, આ વખતે ઔષધ વિના માતા-પિતા અવશ્ય જીવી શકે તેમ નથી, ઔષધથી કદાચ બચી જાય, થોડો સમય ઔષધ વિના પણ જીવી શકે તેમ છે, એમ વિચારીને તે પુરુષ માતા-પિતા પ્રત્યેના રાગથી ભોજન-આચ્છાદન આદિની સારી રીતે વ્યવસ્થા કરીને, માતાપિતાને ત્યાં મૂકીને માતા-પિતાના રોગનું ઔષધ લેવા જવા માટે અને પોતાની આજીવિકા નિમિત્તે માતા-પિતાનો ત્યાગ કરે તો તે પુરુષ સારો છે. કારણ કે ફરી સંયોગ થવાનો હોવાથી પરમાર્થથી આ ત્યાગ ત્યાગ નથી, કિંતુ ત્યાગ ન કરવો એ જ ત્યાગ છે. કારણ કે મૃત્યુ થવાથી વિયોગ થાય. અહીં પંડિતો ફળને પ્રધાન માને છે. ધીરપુરુષો નિપુણબુદ્ધિથી ફળને જુએ છે. તે પુરુષ ઔષધ મેળવીને માતાપિતાને જીવાડે એવો સંભવ હોવાથી આ પ્રમાણે ત્યાગ કરવો એ પુરુષને ઉચિત છે. ૭. દષ્ટાંતનો ઉપનય. एवं, सुक्कपक्खिए महापुरिसे संसारकंतारपडिए अम्मापिइसंगए धम्मपडिबद्ध विहरिज्जा, तेसिं तत्थ निअमविणासगे, अपत्तबीजाइपुरिसमित्तासज्झे, संभवंतसम्मत्ताइओसहे, मरणाइविवागे, कम्मायके सिआ, तत्थ से सुक्कपक्खिए पुरिसे धम्मपडिबंधाओ, एवं समालोचिअ-विणस्संति एए अवस्सं सम्मत्ताइओसहविरहेण, तस्स संघाडणे विभासा, कालसहाणि अ एआणि ववहारओ, तहा संठविअ संठविअ, इहलोगचिंताए तेसिं सम्मत्ताइओसहनिमित्तं विसिट्ठगुरुमाइभावेणं सवित्तिनिमित्तं च, किच्चकरणेणं चयमाणे, संजमपडिवत्तीए, साहू सिद्धीए । IIકા ૧. અહીં માતા-પિતાનો ઉલ્લેખ પત્ની આદિના ઉપલક્ષણરૂપ છે. તેથી પત્ની વગેરે પણ સમજવું.
SR No.023399
Book TitlePanch Sutram
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2004
Total Pages194
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy