________________
પંચસૂત્ર
૭૩
ત્રીજું સૂત્ર
कथं ? इत्याह- १४ उद्यच्छतैनं व्यवच्छेत्तुं संसारं यूयम् । १५ अहमपि युष्माकमनुमत्या साधयाम्येतद् व्यवच्छेदनम् । किमिति ? अत आह- १६ निर्विण्णो जन्ममरणाभ्यां संसारागामिभ्याम् । १७ समृद्ध्यति च मम समीहितं संसारव्यवच्छेदनं, गुरुप्रभावेन । १८ एवं शेषाण्यपि भार्यादीनि बोधयेदौचित्योपन्यासेन । १९ ततः सममेभिर्माता-पित्रादिभिः सेवेत धर्मं चारित्रलक्षणम् । (२० कुर्यादुचितकर्तव्यम् ।) कथं ? इत्याह-निराशंस एव सर्वदा, इहलोकपरलोकाभ्याम् । २१ एतत्परममुनिशासनं वीतरागवचनमित्यर्थः ।
સૂત્ર-ટીકાઈ– (૧૧) સંસાર જન્મ આદિના સ્વરૂપવાળો હોવાથી સિદ્ધિથી વિપરીત છે=સર્વ ઉપ
દ્રવોનું સ્થાન છે. કહ્યું છે કે-“વૃદ્ધાવસ્થા, મરણ, દરિદ્રતા અને રોગો દૂર રહો, ફરી ફરી જન્મવું પણ વીરપુરુષને શરમ ઉત્પન્ન કરે છે, એમ હું માનું છું.” આથી જ ગ્રંથકાર કહે છે કે-સંસાર અસ્થિર સ્વભાવવાળો છે. આ સંસારમાં પર્યાયથી=પર્યાય બદલાતાં સુખી પણ દુઃખી બને છે, અને પર્યાયથી જવિદ્યમાન પણ વસ્તુ અવિદ્યમાન બને છે. બધી જંજાળ સ્થિર ન હોવાથી
સ્વપ્નતુલ્ય છે. (૧૨) આથી સંસારના રાગથી સર્યું. (૧૩) મારા ઉપર અનુગ્રહ કરો. (૧૪) કેવી રીતે મારા ઉપર અનુગ્રહ કરો તે કહે છે. આ સંસારનો નાશ કરવા
તમે પ્રયત્ન કરો. (૧૫) હું પણ તમારી અનુમતિથી સંસારનો નાશ કરું. (૧૬) હું શા માટે સંસારનો નાશ કરું તે કહે છે- હું સંસારમાં આવનારા જન્મ
મરણથી કંટાળી ગયો છું. (૧૭) માતા-પિતા આદિ ગુરુઓના પ્રભાવથી સંસારનાશરૂપ મારુંવાંછિત સિદ્ધ થશે. (૧૮) આ પ્રમાણે પત્ની વગેરે બીજાઓને પણ ઉચિત વચનો કહીને
પ્રતિબોધ પમાડે. (૧૯) પછી માતા-પિતાદિની સાથે ચારિત્ર ધર્મનું પાલન કરે. (૨૦) ઉચિત કર્તવ્યને કરે. કેવી રીતે કરે તે કહે છે- સદા આ લોક-પરલોકની
આશંસાથી રહિત બનીને કરે. (૨૧) આ પ્રમાણે વીતરાગનું વચન છે.