________________
પચર
૬૩
બીજું સૂત્ર
૪. હું અણુવ્રત વગેરેની અપેક્ષાએ અમુક ધર્મસ્થાનોમાં રહેલો છું. ૫. મારે તે ધર્મસ્થાનોની વિરાધના કરવી યોગ્ય નથી. ૬. હું હમણાં ધર્મસ્થાનની વિરાધના કરતો નથી. ૭. તથા મારે એ ધર્મસ્થાનોની વૃદ્ધિ થાય છે. ૮. આ લોકમાં આ ધર્મસ્થાન જ સારભૂત છે. ૯. આ ધર્મસ્થાનો જ પરલોકમાં સાથે આવનારાં હોવાથી પોતાનાં છે. ૧૦. આ ધર્મસ્થાનો જ સુંદર પરિણામવાળાં હોવાથી હિતકર છે. ૧૧. ધનસમૂહ વગેરે બીજું બધું અસાર છે. ૧૨. તેમાં પણ અવિધિથી (અપ્રામાણિકતા આદિથી) સંચિત કરેલ ધન
ધાન્ય વગેરે ભયંકર પરિણામવાળા હોવાથી વિશેષરૂપે અસાર છે. જેમકે કહ્યું છે કે-“ધનના રાગથી અંધ બનેલ પુરુષ અન્યાય રૂ૫ પાપથી ક્યાંક જે (ધનપ્રાપ્તિ રૂ૫) ફળ મેળવે છે, તે ફળ માછલાને મારવાના કાટામાં રહેલા માંસની જેમ તેનો નાશ કર્યા વિના નાશ પામતું નથી.” આ આ પ્રમાણે જ છે. (=આ સત્ય છે) એમ ગ્રંથકાર કહે છે-આ પ્રમાણે (=ઉપર કહ્યું તે પ્રમાણે) ત્રણ લોકના બંધુ, જેમણે પુણ્યનો સમૂહ એકઠો કર્યો છે, તેવા તથાભવ્યત્વના સંબં
ધથી પરમ કરુણાવંત, અને સર્વોત્તમ બોધિબીજના કારણે સમ્યક૧. માત્મનઃ મૂર્તઃ માત્મપૂર્વ, પોતાનું થયેલ. ૨. અરિહંત બનનારા જીવોનું તથાભવ્યત્વ ઉત્કૃષ્ટ કોટિનું હોય છે. એથી તેમનામાં જેવી
ઉત્કૃષ્ટ કરુણા હોય છે તેવી કરુણા અન્ય જીવોમાં ઉત્પન્ન થઇ શકતી જ નથી. માટે અહીં પ્રભુ પરમ કર્ણાવંત કેમ છે તેના સમાધાન માટે ટીકાકારે “તથાભવ્યત્વના સંબંધથી”
એમ કહ્યું. ૩. અરિહંતના જીવોને જેવો સંબોધ થાય છે તેવો સંબોધ બીજા જીવોને થતો નથી. તેનું કારણ
એ છે કે તેમનું બોધિબીજ સર્વોત્તમ હોય છે. જેનાથી બોધિની=સમ્યકત્વની પ્રાપ્તિ થાય તેને બોધિનું બીજ કહેવામાં આવે છે.
જેમ કે કોઇને દેવસેવાથી આત્મામાં બોધિબીજની વાવણી થાય છે. કોઇને ગુરુ સેવાથી, કોઇને ગુણીના ગુણોની પ્રશંસાથી, કોઇને શાસ્ત્રનું આલેખન કરાવવાથી બોધિબીજની પ્રાપ્તિ થાય છે. આ બોધિબીજથી એ જ ભવમાં કે ભવાંતરમાં બોધિની (સમ્યકત્વની) પ્રાપ્તિ થાય છે. અરિહંતના જીવોનું આ બોધિબીજ અન્ય જીવોના બોધિબીજથી ઉત્કૃષ્ટ હોય છે. એથી એમનું જ્ઞાન પણ અન્ય જીવોથી અધિક હોય છે. આથી અહીંટીકામાં સમ્યક સંબોધ પામેલા કેમ છે તેના કારણ તરીકે સર્વોત્તમ બોધિબીજ જણાવ્યું છે.