________________
પંચસૂત્ર
૬૦
शेषेण शेषं कुर्वीत, यत्नतस्तुच्छमैहिकम् ।
( नीतिशास्त्र २९) इत्यादि । २९ तथा असन्तापकः परिजनस्य स्यादिति वर्त्तते शुभप्रणिधानेन । ३० गुणकरो यथाशक्तिभवस्थितिकथनशीलत्वेन । ३१ अनुकम्पापर: प्रतिफलनिरपेक्षतया । ३२ निर्ममो भावेन भवस्थित्यालो - ચનાત્ । વ્ઝ વંશુળ: ચાત્ ? ત્યાઇ-વં ચસ્માત્તત્વાનનેઽપિ ધર્મ:, નીવોપकारभावात् । यथाऽन्यपालन इति जीवाविशेषेण । किमित्येतदेवम् ? इत्याहसर्वे जीवाः पृथक् पृथग् वर्त्तन्ते, स्वलक्षणभेदेन किं तु मम्रत्वं बन्धकारणं, लोभरूपत्वात्, उक्तं च
>
संसाराम्बुनिधौ सत्त्वाः कर्मोर्मिपरिघट्टिताः । સંયુષ્યને વિમુખ્યને, તંત્ર : સ્ય વાધવઃ ॥
.
તથા
બીજું સૂત્ર
अत्यायतेऽस्मिन् संसारे, भूयो जन्मनि जन्मनि । सत्त्वो नैवात्यसौ कश्चिद् यो न बन्धुरनेकधा ॥ इत्यादि, सर्वथा परिभावनामात्रमेतत्स्वजनो न स्वजन इति ।
સૂત્ર-ટીકાર્ય—
(૨૮) ધનના લાભ પ્રમાણે દાન કરવું, લાભ પ્રમાણે પોતાના ભોગમાં વાપરવું, લાભ પ્રમાણે પરિવારનું ભરણ-પોષણ કરવું, લાભ પ્રમાણે સંગ્રહ કરવો. ધનની આવકના આઠ ભાગ કરીને આઠમા ભાગનું દાન કરે, આઠમા ભાગનું પોતાના ભોગમાં વાપરે, ચોથા ભાગનું ધન પરિવારના રક્ષણ પોષણમાં વાપરે. ચોથા ભાગના ધનનો સંગ્રહ કરે. આ વિષે લોકિકોએ કહ્યું છે કે-(મધ્યમ આવકવાળો ગૃહસ્થ) પોતાની આવકનો ચોથો ભાગ નિધાન રૂપે રાખી મૂકે, ચોથો ભાગ નવી કમાણીમાં રોકે, ચોથો ભાગ ધર્મમાં અને પોતાના ઉપભોગમાં વાપરે, અને ચોથો ભાગ પોષણ કરવા લાયક કુટુંબના પોષણમાં ખર્ચે. તથા (બહુસુખી ગૃહસ્થ) આવકનો અર્ધાથી પણ કંઇક અધિક ભાગ ધર્મમાં વાપરે, બાકી રહેલા ધનથી બાકીના આ લોકના નિઃસાર કાર્યો પ્રયત્ન પૂર્વક કરે.
(૨૯) શુભ ભાવોથી (=હૃદયને મૈત્રી વગેરે શુભ ભાવોથી) વાસિત બનાવીને પરિવારને સંતાપ ઉપજાવવો નહિ.