________________
પંચસૂત્ર
૫૦.
બીજું સૂત્ર
शास्त्रोक्तेन विधिना । 'अत्यन्तभावसारं' महता प्रणिधानबलेन । 'प्रतिपद्येत' धर्मगुणान्न राभसिकया प्रवृत्त्या, अस्या विपाकदारुणत्वात् ।
સૂત્ર-ટીકાર્ય– તેવા પ્રકારના કર્મના ક્ષયોપશમ વડે ભાવથી ધર્મગુણનો સ્વીકાર કરવાની શ્રદ્ધા-રુચિ ઉત્પન્ન થાય ત્યારે તે ધર્મગુણોનું સ્વરૂપ વિચારવું. તે આ પ્રમાણે ૧) ધર્મગુણો જીવના સંક્ષિપ્ત પરિણામને શુદ્ધ કરે છે. તેથી તે સ્વભાવથી જ
સુંદર છે. ૨) ભવાંતરમાં પણ તેની વાસના=ભાવના આવે છે, માટે ધર્મગુણો અનુ
ગામી જીવની સાથે જનારા છે. ૩) ધર્મગુણોથી તે તે રીતે પીડા આદિની નિવૃત્તિ થતી હોવાથી ધર્મગુણો
પરોપકારી છે. ૪) પરંપરાએ મોક્ષનું કારણ હોવાથી ધર્મગુણો પરમાર્થના હેતુ છે. ૫) સદા તેનો અભ્યાસ ન હોવાથી ધર્મગુણો પાળવા દુષ્કર છે. ૬) ધર્મગુણોનો ભંગ થાય તો ભગવાનની આજ્ઞાનું ખંડન થવાથી ભયંકર ફળ
મળે છે. ૭) ધર્મગુણોનો ભંગ ધર્મને દૂષિત બનાવતો હોવાથી તેનાથી મહામોહનીય કર્મ
બંધાય છે. ૮) પાપના (કે દોષોના) અનુબંધની પુષ્ટિ થવાથી ફરી ધર્મગુણોની પ્રાપ્તિ દુર્લભ બને છે.
આ પ્રમાણે ગુણોના લાભનો અને ગુણભંગના નુકશાનનો બરોબર વિચાર કરીને શાસ્ત્રોક્ત વિધિપૂર્વક અને દઢ મનોબળથી ધર્મ ગુણોનો યથાશક્તિ સ્વીકાર ૧. તે તે રીતે પીડા આદિની નિવૃત્તિ– કોઇ જીવ સર્વ વિરતિ સ્વીકારે તો તેના તરફથી કોઇ
જીવને પીડા ન થાય. સર્વવિરતિ સ્વીકારનાર પણ ઉદયમાં આવેલા અસાતાવેદનીય કર્મને પીડિત–દુઃખી થયા વિના ભોગવે છે. કોઇ જીવ દેશવિરતિ સ્વીકારે તો તેટલા પ્રમાણમાં અન્ય જીવને પીડા ન થાય. ક્ષમાગુણ આવે તો ક્ષમાગુણવાળો જીવ બીજા જીવોને ક્રોધ આદિથી દુઃખી ન કરે અને પોતે પણ ક્રોધ આદિથી દુઃખી ન થાય. આમ ધર્મગુણોથી તે તે
રીતે પીડા આદિની નિવૃત્તિ થાય. આદિ શબ્દથી ક્રોધ વગેરે દોષો સમજવા. ૨. કયું ભયંકર ફળ મળે છે એ પછીના મહામોહનત્તિ, મૂગો કુનેહાંતિ એ શબ્દોથી જણાવ્યું છે. ૩. શક્તિને ગોપવવી નહિ અને શક્તિથી ઉપરવટ પણ ન જવું. એ રીતે યથાશક્તિ સ્વીકાર કરવો.