________________
પંચસૂત્ર
૪૨
પહેલું સૂત્ર
વગેરે ને પણ આ વીતરાગપણું વગેરે હોય છે માટે અહીં કહ્યું કે “તે અરિહંત વગેરે (પાંચ) ભગવંતો વીતરાગ અને સર્વજ્ઞ છે.”
આચાર્ય વગેરેને વીતરાગપણું વગેરે ઉપચારથી હોય છે, માટે અહીં પ્રાય?” કહ્યું છે.
તવિશેષાપેક્ષ વહિ- આચાર્ય વગેરેમાં રહેલી આ વિશેષતાની અપેક્ષાએ કહે છે કે આચાર્ય વગેરે પણ પરમકલ્યાણ સ્વરૂપ છે, અર્થાત્ જેમ અરિહંતો અને સિદ્ધો પરમ કલ્યાણ સ્વરૂપ છે, તેમ આચાર્ય વગેરે પણ પરમકલ્યાણ સ્વરૂપ છે.
૫૨મચાવ: સર્વાના સૈતિક્ષાર્થ: સર્વ ઇવ પતે આ બધા (=અરિહંત વગેરે પાંચેય) તે તે ઉપાયોથી જીવોના પરમ કલ્યાણના કારણ છે. (અરિહંતો મોક્ષમાર્ગનું પ્રકાશન કરવા વડે, સિદ્ધો મોક્ષમાર્ગમાં વિશ્વાસ કરાવવા વડે, આચાર્યો આચારનો ઉપદેશ આપવા વડે, ઉપાધ્યાયો સૂત્ર પ્રદાન કરવા વડે, સાધુઓ મોક્ષમાર્ગમાં સહાય કરવા વડે જીવોના પરમકલ્યાણના કારણ છે.)
પાપી હું મૂઢ છું– વિશિષ્ટ (=વિશેષથી ગુણસંપન્ન) અરિહંત આદિની સેવાભક્તિ કેવી રીતે કરવી એ વિષે હું મૂઢ છું=અજ્ઞાન છું.
અનાદિથી મોહવાસિત છું– કેમ કે સંસાર અનાદિ છે.
ઉત્તમ ખેતસુતાવને વિશેષત: પૃથપતાનાં.....આ પરફત સુકૃતની અનુમોદના ઉત્તમ છે. એમાં પણ જુદા રહેલા=જુદી ગતિમાં રહેલા જીવો માટે વિશેષથી ઉત્તમ છે. આ વિષયને વનને છેદનાર રથકાર, બલદેવમુનિ અને હરણના દૃષ્ટાંતથી વિચારવો. (હરણે રથકારના દાનની અને બલદેવ મુનિના સંયમની અનુમોદના કરીને વિશિષ્ટ ફળ મેળવી લીધું. હરણ અને રથકાર વગેરેની ગતિ જુદી હતી. હરણ તિર્યંચગતિમાં હતો. રથકાર વગેરે મનુષ્યગતિમાં હતા.)
૧૩. સૂત્રપાઠનું અશુભની નિવૃત્તિ રૂપ ફળ सूत्रपाठे फलमाह
સૂત્ર પાઠ કરવાનું ફળ કહે છે– एवमेअं सम्मं पढमाणस्स सुणमाणस्स अणुप्पेहमाणस्स, सिढिलीभवंति परिहायंति खिज्जंति असुहकम्माणुबंधा, निरणुबंधे