________________
પંચસૂત્ર
પહેલું સૂત્ર भाविनश्चान्येऽपि देहसौगन्ध्यादयः प्रभूता वेदितव्याः । ततश्च 'चतुस्त्रिंशदतिशयसमन्वितेभ्यः परमात्मभ्यो नमः' इत्युक्तं भवति । अत एव सकलविशेषणार्थोपसंहारेणाह- 'त्रैलोक्यगुरुभ्यः' त्रैलोक्यवासिसत्त्वेभ्यो गृणन्ति शास्त्रार्थमिति त्रैलोक्यगुरवः, तद्गुणाधिकत्वात्तन्माननीयत्वाद्वा, तेभ्यो नमः । एतेनैव संनिबन्धनेनान्वर्थनाम्नाऽऽह- 'अरुहेभ्यो भगवद्भ्यः' इति । न रोहन्ति न भवाङ्कुरोदयમાહિત્યન્તિ, વીનામાવતિતિ કરા:, તેમ્પ: 1 ડિવિશિષ્ટથ: ? : समग्रैश्वर्यादिलक्षणः, स विद्यते येषां ते भगवन्तः, तेभ्यो भगवद्भ्यो नम इति । एवंभूताश्च ते समधिकृतातिशयभाजश्चरमदेहस्था अपि, ततो मुक्तिभावे जन्माङ्कुरोदयाभावात् ।
આ ચાર વિશેષણપદોથી અપાયાપગમ વગેરે મૂળ ચાર અતિશયો કહેલા જાણવા. તે ચાર અતિશયો આ પ્રમાણે છે-અપાયાપગમ અતિશય, જ્ઞાન અતિશય, પૂજા અતિશય અને વચન અતિશય. જે ક્રમથી વિશેષણ પદો છે તે જ ક્રમથી ચાર અતિશયો જાણવા, કારણ કે આ જ ક્રમથી (=વિશેષણ પદોના ક્રમથી જ) ચાર અતિશયો પ્રગટે છે. તે આ પ્રમાણે-અરિહંત ભગવાન વીતરાગ થઇને સર્વજ્ઞ થાય છે. સર્વજ્ઞ થયેલા અરિહંતને પૂજાતિશય થાય છે. પછી અરિહંત ધર્મદેશના આપે છે. અર્થાત્ વીતરાગ થવાથી અપાયાપગમ અતિશય પ્રગટે છે. સર્વજ્ઞ થવાથી જ્ઞાન અતિશય પ્રગટે છે. પછી તેમની પૂજા થતી હોવાથી પૂજાતિશય પ્રગટે છે. પછી ધર્મદેશના સમયે વચનાતિશય પ્રગટે છે.
અપાયાપગમાતિશય આમાં અપાય અને અપગમ એમ બે શબ્દો છે. અપાય એટલે દોષો. અપગમ એટલે નાશ. દોષોનો નાશ થવો તે અપાયાપગમ. ભગવાનના રાગાદિ સર્વ દોષો દૂર થયા હોવાથી ભગવાનને અપાયાપગમ અતિશય હોય છે.
શાનાતિશય– સર્વોત્કૃષ્ટ જ્ઞાન એ જ્ઞાનાતિશય છે. ભગવાનને કેવળજ્ઞાન હોવાથી જ્ઞાનાતિશય હોય છે.
પૂજતિશય- સર્વોત્કૃષ્ટ પૂજા એ પૂજાતિશય છે. દેવો-ઇંદ્રો પણ ભગવાનની પૂજા કરે છે. માટે ભગવાનને પૂજાતિશય હોય છે.
વચનાતિશય– સર્વોત્કૃષ્ટ વચન એ વચનાતિશય છે. ભગવાન અર્ધમાગધી ભાષામાં દેશના આપે છે. ભગવાનની એક જ ભાષામાં અપાતી દેશનાને