________________
પંચસૂત્ર
૧૭૬
ચાર ભાવનાના સોળ ભેદો
(૨)
પરિશિષ્ટ-૬
ચાર ભાવનાના સોળ ભેદો (પાંચમા સૂત્રમાં “અયોગ્યને જિનાજ્ઞા ન આપવામાં કરુણા છે' એ વિષયના વર્ણનમાં નિબંધન કરુણાનો” ઉલ્લેખ કર્યો છે. આથી અહીંચાર ભાવનાના સોળ ભેદોનું વર્ણન કરવામાં આવે છે.)
મૈત્રી ભાવનાના ચાર ભેદ ઉપકારી, સ્વજન, અન્યજન અને સામાન્યજન-આ ચાર સંબંધી મૈત્રી ચાર પ્રકારની હોય છે. (૧) ઉપકારી-ઉપકારીએ કરેલા ઉપકારની અપેક્ષાએ જે મૈત્રી–મિત્રભાવ તે ઉપ
કારી મૈત્રી જાણવી. રવજન-ઉપકારની અપેક્ષા રાખ્યા વિના પણ સગાવહાલાની બુદ્ધિથી જનાલપ્રતિબદ્ધ (પેટની ઘૂંટીમાં જે માતાની નાળ હોય છે તે જેની સમાન હોય અર્થાત્ એક જ માતાની કુખે જન્મેલ એવા કાકા, ફઇ, મામા-માસી તથા તેનો જે વ્યક્તિ સાથે પરંપરાસંબંધ છે તે ભત્રીજા-ભત્રીજી, ભાણિયાભાણેજી વગેરે) હોય તેવા પોતાના સગાવહાલા ઉપર જે મિત્રભાવ હોય તે
સ્વજન મૈત્રી જાણવી. (૩) અન્યજન-ઉપકારી અને સ્વજનથી ભિન્ન એવા જે પરિચિત માણસની સાથે
પોતાના પૂર્વજોએ સંબંધ રાખેલો હોય અથવા પોતે સંબંધ-પરિચય-ઓળખાણ કરેલ હોય તે વ્યક્તિને વિષે ઓળખાણ હોવાના કારણે થતો જે
મિત્રભાવ તે અન્યજન મૈત્રી જાણવી. (૪) સામાન્યજન-જે હિતચિંતાસ્વરૂપ મિત્રભાવ તે સામાન્યજન મૈત્રી જાણવી.
ઉપકારી-અનુપકારી, સ્વજન-પરજન, પરિચિત-અપરિચિત ઇત્યાદિ ભેદભાવ વિના સર્વ જીવો ઉપર જે હિતચિંતાસ્વરૂપ મિત્રભાવ તે સામાન્યજન મૈત્રી જાણવી.
પ્રમોદ ભાવનાના ચાર ભેદ સર્વસુખને વિષે, સુંદર હેતુને વિષે, સાનુબંધ સુખને વિષે અને ઉત્કૃષ્ટ સુખને