________________
પંચસૂત્ર
પ્રસ્તાવના
ઉત્તર– કારણ કે પ્રાયઃકરીને બધા જ જીવો રૈવેયકોમાં અનંતવાર ઉત્પન્ન થયા છે એવું શાસ્ત્રમાં સંભળાય છે. સાધુક્રિયા વિના રૈવેયકોમાં "ઉપપાત ન થાય. આમાં બીજી પણ યુક્તિ છે કે સમ્યગ્દષ્ટિને દેશોન અર્ધપુદ્ગલ પરાવર્તથી અધિક સંસારકાળ ન હોય. (દશોન અર્ધપુદ્ગલપરાવર્ત જેટલા કાળમાં રૈવેયકોમાં અનંતવાર ઉપપાત ન થાય.) આ પ્રમાણે વિચારવું.
तस्मानिर्बीजस्यैव क्रियामात्रस्य सा प्राप्तिरिति प्रतिपत्तव्यम् । सबीजायां तु तस्यां न दीर्घदौर्गत्यम्, अत एतदर्थस्यैवमेव तत्त्वतो भावः इति स्थितम् ।
તેથી અનંતવાર પ્રવજ્યાપ્રાપ્તિ જે થઇ તે બીજ રહિત (=ગુણબીજાધાન વિના) જ જીવને માત્ર ક્રિયાની પ્રાપ્તિ થઈ એમ સ્વીકારવું જોઇએ. જો બીજાધાન સહિત ક્રિયાની પ્રાપ્તિ થાય તો દીર્ઘકાળ સુધી દુર્ગતિ ન થાય. આથી આ અર્થનો આ પ્રમાણે જ પરમાર્થથી ભાવ છે એમ નિશ્ચિત થયું, અર્થાત્ ગુણબીજાધાન વિના સાધુધર્મની પરિભાવના ન થાય, સાધુ ધર્મની પરિભાવના વિના પ્રવ્રજ્યાગ્રહણવિધિ ન થાય, પ્રવ્રજ્યાગ્રહણવિધિ વિના પ્રવ્રજ્યાનું પરિપાલન ન થાય, પ્રવ્રજ્યાના પરિપાલન વિના મોક્ષરૂપ ફળની પ્રાપ્તિ ન થાય એ નિશ્ચિત થયું.
अयं चातिगम्भीरो न भवाभिनन्दिभिः क्षौ याद्युपघातात्प्रतिपत्तुमपि शक्यते, आस्तां पुनः कर्तुमिति । न सर्वेषामेवैतत्प्राप्त्यादि । अतो यथोक्तदोषाभावः । इत्यलं विस्तरेण ।
ભવાભિનંદી જીવોમાં પ્રાથમિક કક્ષામાં જરૂરી શુદ્ધભાવ ક્ષુદ્રતા આદિ (આઠ) દુર્ગુણોથી હણાઇ ગયો હોવાથી ભવાભિનંદી જીવો અહીં જણાવેલ અતિ ગંભીર પદાર્થને જાણવા (=સમજવા) માટે પણ સમર્થ નથી, તો પછી કરવાની તો વાત જ ક્યાં રહી ? આમ અહીં જણાવેલ ક્રમથી પ્રવજ્યાપ્રાપ્તિ વગેરે બધા ય જીવોને થતું નથી. આથી યથોક્ત દોષનો (સર્વ જીવોને પ્રવજ્યા ફલની (=મોક્ષની) પ્રાપ્તિ રૂપ દોષનો) અભાવ છે. આ પ્રમાણે વિસ્તારથી સર્યું. १. आणोहेणानंता मुक्का गवेज्जगेसु य सरीरा। न य तत्थाऽसंपुण्णाए साहुकिरियाए उववाओ (पञ्चा० १४-४८) ઓઘઆજ્ઞાથી (=સમ્યગ્દર્શન વિના કેવળ આપ્તના ઉપદેશથી) જીવોએ ભૂતકાળમાં રૈવેયક વિમાનોમાં અનંત શરીરો મૂક્યાં છે. અસંપૂર્ણ સાધુકિયાથી રૈવેયકમાં ઉત્પત્તિ ન થાય. ૨. જુઓ પૃષ્ઠ ૧૫ર.