________________
પંચસૂત્ર
૧૬ર
પંચ કારણ સમુદાય
પરિપાક કરવાનો પુરુષાર્થ કરવો જોઇએ.
પાંચ કારણો અંગે મહોપાધ્યાય શ્રી વિનયવિજયજી ગણિ વિરચિત પાંચ કારણ વાદ સ્તવનની છઠ્ઠી ઢાળમાં નીચે મુજબ છે
તંતુ સ્વભાવે પટ ઉપજાવે, કાલક્રમે રે વણાએ, ભવિતવ્યતા હોય તો નિપજે, નહિ તો વિઘન ઘણાએ રે પ્રાણી સ.૪ તંતુવાય ઉદ્યમ ભોક્તાદિક, ભાગ્ય સકલ સહકારી, ઇમ પાંચે મલી સકલ પદારથ, ઉત્પત્તિ જુઓ વિચારી. રે પ્રાણી સ.૫ નિયતિ વસે હલ કરમો થઇને, નિગોદ થકી નિકલિયો. પુણ્ય મનુજ ભવાદિક પામી, સદ્ગુરુને જઇ મલિયો રે પ્રાણી સ.૬ ભવસ્થિતિનો પરિપાક થયો, તવ પંડિત વીર્ય ઉલ્લસિઓ.
ભવ્ય સ્વભાવે શિવગતિ પામી, શિવપુર જઇને વસિઓ. રે પ્રાણી સ. ૭ (મહોપાધ્યાય શ્રીવિનયવિજયજી ગણિ વિરચિત પાંચ કારણવાદ સ્તવનની છઠ્ઠી
ઢાળ.)