________________
પંચસૂત્ર
૧૪૧
પાંચમું સૂત્ર
वालाबुवत् । प्रभृतिग्रहणादेरण्डफलादिग्रहः । ऊर्ध्वगमनं तत्रैव चासकृद्गमनागमनं किं न ? इत्येतदाशङ्क्याह-नियमोऽत एवालाबुप्रभृतिज्ञाततः एकसमयादिः, उत्पलपत्रशतव्यतिभेददृष्टान्तेन एकसमये न तद्गतिर्युक्तेत्याशङ्कापोहायाह- अस्पृशद्गत्या गमनं सिद्धस्य सिद्धिक्षेत्रं प्रति स्पृशद्गतिमदपेक्षया चोत्पलपत्रशतव्यतिभेददृष्टान्तः । कथमियं संभवति ? इत्याह-उत्कर्षविशेषत इयं गत्युत्कर्षविशेषदर्शनादेवमस्पृशद्गतिः संभवतीति भावनीयम् ।
સૂત્ર-ટીકાર્થ– પ્રશ્ન– આત્માને ગતિ કરવામાં યોગ સહાયક છે. યોગ વિના આત્મા ગતિ કરી શકે નહિ. સર્વ કર્મોનો ક્ષય થતાં આત્મા યોગરહિત હોવાથી ગતિ ન કરી શકે. તો પછી લોકાંતે કેવી રીતે જાય ?
ઉત્તર– કર્મરહિત આત્મા પૂર્વપ્રયોગથી ગતિ કરે છે. એટલે કે આત્મામાં યોગનિરોધની પહેલાના યોગના (=પ્રયોગના) સંસ્કારો રહેલા હોવાથી તેમની સહાયથી તે ગતિ કરે છે. (જેમ કુંભાર ચાકડાને હાથની પ્રેરણાથી ગતિમાન કરીને હાથ લઇ લેવા છતાં પૂર્વે કરેલી પ્રેરણાના સંસ્કારોથી ગતિ થયા કરે છે, તેમ અહીં વર્તમાનમાં યોગનો અભાવ હોવા છતાં પૂર્વના યોગના (=પ્રયોગના) સંસ્કારોથી કર્મરહિત જીવ ગતિ કરે છે.)
પ્રશ્ન- કર્મરહિત આત્મા પૂર્વ પ્રયોગથી ગતિ કરે છે એ બરોબર છે. પણ તિથ્વી કે નીચે ગતિ ન કરતાં ઊર્ધ્વ જ ગતિ કેમ કરે છે ?
ઉત્તર–(તસ્થામાવ્યાન્ટ) કર્મરહિત આત્માનો ઊર્ધ્વગતિ કરવાનો સ્વભાવ છે. પ્રશ્ન- આને આ પ્રમાણે કેવી રીતે જાણવું ?
ઉત્તર– આ વિષયમાં તુંબડા આદિનાં દષ્ટાંતો છે. જેમાં માટીના આઠ પડવાળા લેપથી લેપાયેલું તુંબડું પાણીમાં નાખતાં ડૂબી જાય છે, પણ માટીનો લેપ ધોવાઇ જતાં તુંબડું ઊર્ધ્વગતિ કરે છે અને પાણીની ઉપર આવી જાય છે, તેવી રીતે કર્મરહિત બનેલો આત્મા સ્વભાવથી ઊર્ધ્વગતિ કરે છે.
અહીં આદિ' શબ્દથી એરંડફળ વગેરેનાં દૃષ્ટાંતો જાણવાં. પ્રશ્ન- આત્મા ઉપર ગયા પછી ફરી નીચે આવે, ફરી ઉપર જાય, ફરી નીચે