________________
પંચસૂત્ર
મુક્તમાં કોઇ વિશેષતા ન રહે.
૧૩૧
પાંચમું સૂત્ર
૧૪. અનાદિ બંધનો વિયોગ થાય.
अणाइजोगेवि विओगो कंचणोवलनाणं ॥ १४ ॥
अनादिमति बन्धे मोक्षाभाव: तत्स्वाभाविकत्वेनेत्याशङ्कानिराशायाह-अनादियोगेऽपि सति वियोगोऽविरुद्ध एव काञ्चनोपलज्ञातेन लोके तथादर्शनात् । योगो बन्ध इत्यनर्थान्तरम् ।
સૂત્ર-ટીકાર્થ— બંધ અનાદિમાન હોવાથી સ્વાભાવિક સિદ્ધ થયો. જે સ્વાભાવિક હોય તેનો અંત ન આવે. આથી બંધનો અંત ન આવવાથી મોક્ષ ન થાય. આવી આશંકાનું નિરાકરણ કરવા માટે ગ્રંથકાર કહે છે-બંધ અનાદિથી હોવા છતાં સુવર્ણપથ્થરના દૃષ્ટાંતથી બંધનો વિયોગ ઘટે છે. સુવર્ણ અને માટીનો સંયોગ અનાદિ હોવા છતાં અગ્નિ-તેજાબ વગેરેથી બંને અલગ થાય છે તેમ લોકમાં જોવામાં આવે છે. તે પ્રમાણે કર્મબંધનાં કારણોને દૂર કરવાથી આત્મા અને કર્મ એ બંને અલગ થાય છે અને તેથી આત્માનો મોક્ષ થાય છે. અહીં યોગ અને બંધ એ બંને શબ્દોનો એક જ અર્થ છે.
૧૫. સાંખ્યમત માન્ય દિદક્ષા અપ્રામાણિક છે.
न दिदिक्खा अकरणस्स न यादिट्ठमि एसा । न सहजाए निवित्ती । न निवित्तीय आयट्ठाणं, नयण्णहा तस्सेसा । न भव्वत्ततुल्ला नाएणं, न केवलजीवरूवमेअं । न भाविजोगाविक्खाए तुल्लत्तं, तया केवलत्तेण सयाविसेसओ । तहा सहावकप्पणमप्पमाणमेव । एसेव दोसो परिकप्पिआए ।। १५ ।।
आदावबद्धस्य दिदृक्षा, बद्धमुक्तस्य तु न सेति दोषाभावादादिमानेव बन्धोऽस्त्वित्याशङ्काव्यपोहायाह-न दिदृक्षाऽकरणस्येन्द्रियरहितस्य बद्धस्य चैतानि । तथा न चादृष्टे एषा दिक्षा, द्रष्टुमिच्छा दिदृक्षेति कृत्वा । सहजैवैषेत्यारेकानिराकरणायाह-न सहजाया निवृत्तिर्दिक्षायाश्चैतन्यवत् । अस्तु वेयमित्यभ्यु