________________
પાંચમું સૂત્ર
પંચસૂત્ર
ઉત્તર- ર્મનોવિકારાત્=કર્મનું પણ કારકપણું છે, એટલે કે કર્મ પણ કાર્યમાં કારણ છે. એથી જો કર્મ જ ન હોય તો કાર્ય ન થાય. તેથી જો ભવ્યત્વમાં સહકારીભેદની પ્રાપ્તિની કર્મતા ન હોય તો સહકા૨ીભેદરૂપ કાર્ય ન થાય.
૧૨૯
પ્રશ્ન- બધાનું ભવ્યત્વ સમાન હોવા છતાં સહકા૨ીભેદની કર્મતા છે, અર્થાત્ બધાનું ભવ્યત્વ સમાન હોવા છતાં જુદાજુદા જીવને ભિન્ન ભિન્ન પ્રયત્નથી ભિન્ન ભિન્ન સહકારીની પ્રાપ્તિ થાય છે, તેથી ભવ્યત્વમાં સહકારીભેદની કર્મતા છે. આમ માનવામાં શો વાંધો છે ?
જેમકે- માટીમાંથી કોઇ કારીગર ઘડા બનાવે તો કોઇ કારીગર બાવલાં બનાવે. અહીં બંને માટીમાં યોગ્યતા સમાન છે. માત્ર કારીગરના ભિન્ન પ્રયત્નથી સહકારીનો ભેદ પ્રાપ્ત થયો. તે રીતે દરેક જીવમાં સિદ્ધિગમન યોગ્યતારૂપ ભવ્યત્વ સમાન છે. આમ છતાં તે તે જીવના તેવા પ્રયત્નના કારણે સહકારીભેદ પ્રાપ્ત થાય. તેથી કાર્યભેદ થાય. આમ માનવામાં શો વાંધો ?
ઉત્તર-વ્રતત્વમાવસ્ય ચ ારામમવા=જો ભવ્યત્વનો સહકારીભેદને અનુકૂળ સ્વભાવ ન હોય તો તેનામાં કારકપણું ન આવે, અર્થાત્ જો બધાનું ભવ્યત્વ સમાન હોય તો તેનામાં સહકારીભેદની કર્મતા માની શકાય નહિ. જો માટીમાં ઘડા રૂપે બનવાની યોગ્યતા જ ન હોય તો ગમે તેટલો પ્રયત્ન કરવા છતાં માટીમાંથી ઘડો ન બને. માટીમાં ઘડા રૂપે બનવાની યોગ્યતા હોય તો જ તેવા પ્રયત્નથી ઘડો બની શકે. તેવી રીતે પ્રસ્તુતમાં ભવ્યત્વનો સહકારીભેદને યોગ્ય સ્વભાવ હોય તો જ તેનામાં કારકપણું આવે. જો ભવ્યત્વનો સહકારીભેદને યોગ્ય સ્વભાવ ન હોય તો ગમે તેવો પ્રયત્ન કરવા છતાં તેનામાં સહકારીભેદની કર્મતા ન આવે. આ પ્રમાણે વિચારવું.
આથી જ ગ્રંથકાર કહે છે- એકાંતનો આશ્રય અરિહંતના સિદ્ધાંતથી વિરુદ્ધ છે. ૧૩. બંધ વિના મુક્તિ ન ઘટે
संसारिणो उ सिद्धत्तं । नाबद्धस्स मुत्ती सद्दत्थरहिआ । अणाइमं बंधो पवाहेणं, अईअकालतुल्लो । अबद्धबंधणे वाऽमुत्ती पुणोबंधपसंगओ, अविसेसो अ बद्धमुक्काणं ॥ १३॥
प्रस्तुतप्रसाधकमेव न्यायान्तरमाह - संसारिण एव सिद्धत्वं, नान्यस्य । कोऽयं