________________
ચોથું સૂત્ર
પંચસૂત્ર
अन्यथा गुरुवहुमानव्यतिरेकेण क्रियाऽप्यक्रिया प्रत्युपेक्षणादिरूपा, अक्रिया सत्क्रियातोऽन्या । किंविशिष्टा ? इत्याह- कुलटानारीक्रियासमा दुःशीलवनितोपवासक्रियातुल्या । ततः किम् ? इत्याह- गर्हिता तत्त्ववेदिनां विदुषाम् । कस्मात् ? इत्याह-अफलयोगतः इष्टफलादन्यदफलं, मोक्षात्सांसारिकमित्यर्थः, तद्योगात् । एतदेव स्पष्टयन्नाह-विषान्नतृप्तिफलमत्र ज्ञातमल्पं विपाकदारुणं, विराधनासेवनात् । एतदेवाह - आवर्त्त एव तत्फलम्, आवर्त्तन्ते प्राणिनोऽस्मि - नित्यावर्त्तः संसारः, स एव तत्त्वतः तत्फलं विराधनाविषजन्यम् । किंविशिष्ट आवर्त्तः ? इत्याह- अशुभानुबन्ध:, तथा तथा विराधनोत्कर्षेण ।
१०३
સૂત્ર-ટીકાર્થ— ગુરુ બહુમાન વિના પ્રતિલેખનાદિ ક્રિયા કુલટા નારીની ઉપવાસાદિ ક્રિયાની જેમ અક્રિયા (=અસન્ક્રિયા) છે. આથી પરમાર્થના જ્ઞાતાઓએ ગુરુબહુમાન વિનાની ક્રિયાની નિંદા કરી છે. કારણ કે તેનાથી સાંસારિક ફળ મળે છે.
આ જ વિષયને સ્પષ્ટ કરતા ગ્રંથકાર કહે છે-આ વિષયમાં વિષાત્રથી થયેલી તૃપ્તિનું ફળ દૃષ્ટાંતરૂપ છે. જેમ વિષમિશ્રિત અન્નના ભોજનથી થયેલી તૃપ્તિનું ક્ષણિક આનંદરૂપ ફળ અલ્પ છે, અને તેનું મૃત્યુરૂપ પરિણામ ભયંકર છે, તેમ ગુરુબહુમાનથી રહિત ક્રિયા વિરાધનાવાળી હોવાથી વિરાધના રૂપ વિષથી ઉત્પન્ન થતું સાંસારિક સુખરૂપ ફળ અલ્પ મળી જાય છે, પણ એ ફળ પરિણામે સંસારમાં પરિભ્રમણ કરાવે છે. આથી ૫રમાર્થથી આ ક્રિયાનું ફળ તે તે રીતે વિરાધનાની વૃદ્ધિથી અનુબંધવાળો સંસાર–સંસાર પરિભ્રમણ જ છે.
૨૩. ગુરુબહુમાનની સર્વોત્કૃષ્ટ સુંદરતા एवं सफलं गुर्वबहुमानमभिधाय तद्बहुमानमाहआयओ गुरुबहुमाणो अवंझकारणत्तेण । अओ परमगुरुसंजोगो । तओ सिद्धी असंसयं । एसेह सुहोदए, पगिट्ठतयणुबंधे भववाहितेगिच्छी । न इओ सुंदरं परं । उवमा इत्थ न विज्जई ॥२३॥
I
૧. કુલટાનારી ઉપવાસ વગેરે કરે તેની પાછળ એનો હેતુ એ હોય કે હું ઉપવાસ વગેરે ધર્મ કરું તો પતિ વગેરે કોઇને મારા અનાચારની શંકા ન પડે. પોતાના પાપને છુપાવવા માટે ઉપવાસ વગેરે ધર્મ કરવાના કારણે એનો ઉપવાસાદિ ધર્મ અસન્ક્રિયા છે.