SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ચોથું સૂત્ર પંચસૂત્ર એ પ્રમાણે-(૧) કર્મરૂપ વ્યાધિથી ઘેરાયેલો, (૨) જન્મ-જરા-મરણાદિરૂપ વેદનાનો અનુભવ કરનાર, (૩) જન્માદિરૂપ વેદનાને દુઃખરૂપ સમજનાર, તેમાં જ આસક્તિ થવાથી મૂઢમતિવાળો ન હોય. (૪) તેથી સાચે જ જન્માદિરૂપ વેદનાથી કંટાળી ગયેલ. (૫) ગુરુના (ગુરુ કેવા હોવા જોઇએ ઇત્યાદિ) વચનથી અને અનુષ્ઠાન આદિથી (=ગુરુ ક્રિયા કેવી કરે છે ઇત્યાદિ જોઇને) સુગુરુને અને કર્મરૂપ વ્યાધિને ઓળખીને ત્રીજા સૂત્રમાં કહેલી વિધિથી સારા અનુષ્ઠાનવાળી પ્રવ્રજ્યાનો સ્વીકાર કરે છે. (૬) સ્વેચ્છાથી પ્રમાદાચરણનો ત્યાગ કરે છે (૭) સંયમની વૃદ્ધિ થાય તેમ અસાર અને નિર્દોષ ભોજન કરે છે. (૮) આ રીતે તે કર્મવ્યાધિથી મુક્ત બનતો જાય છે. (૯) મોહની નિવૃત્તિ થવાથી ઇષ્ટ વિયોગ આદિ સંબંધી વેદના દૂર થતી જાય છે. (૧૦) ચારિત્રરૂપ આરોગ્ય પામ્યા પછી તે ચારિત્રરૂપ આરોગ્ય ઉત્તરોત્તર વધતું જાય છે. ૧ (૧૧) તખ઼ામનિન્ગુપ્ તડિબંધવિશેસો=કર્મરૂપ વ્યાધિના ઘણા વિકારોની નિવૃત્તિ થવાથી (અપૂર્ણ) ચારિત્રરૂપ આરોગ્યના લાભથી શાંતિ થવાના કારણે (પૂર્ણ) ચારિત્રરૂપ આરોગ્યની ઇચ્છા (=શ્રદ્ધા) હોવાથી, પરીક્ષહોવસમાવેવિ તત્તસંવેઞળાયોસમ્યગ્ જ્ઞાન હોવાના કારણે તાત્ત્વિક (=ચારિત્રરૂપ) આરોગ્યના સુખનું સંવેદન થતું હોવાથી, સત્તામયવુડ્ડી થિરાસયત્તળક્ષાયોપશમિકભાવની વૃદ્ધિ થવાના કારણે ચિત્તની સ્થિરતા હોવાથી, ધમ્મોવોનાઓ સ્વકર્તવ્યનો બોધ હોવાથી (આ ચાર કારણોથી) સ્વાભાવિક કારણથી (=વિશેષ નિમિત્ત વિના) ક્ષુધા વગેરે પરિષહો અને દિવ્ય વગેરે ઉપસર્ગો આવવા છતાં રાગ-દ્વેષાદિ દ્વન્દ્વોથી રહિત હોવાથી સદા પ્રશાંત તે શુભ ભાવરૂપ તેજોલેશ્યાથી વધતો જાય છે. (૧૨) ભાવવૈદ્ય સમાન ગુરુ ઉપર ઉચિત રીતે અસંગભક્તિપૂર્વક (=પૌદ્ગલિક આશંસા કે વ્યક્તિગત રાગ વિના ભાવથી ગુરુની ભક્તિપૂર્વક) બહુમાન ધારણ કરે છે. પ્રશ્ન— અસંગભક્તિપૂર્વક એમ કેમ કહ્યું ? ઉત્તર— ભક્તિની પ્રવૃત્તિ સહજપણે કરે છે. ભક્તિની પ્રવૃત્તિ સહજપણે કરે છે એથી જ સિદ્ધ થાય છે કે ભક્તિની પ્રવૃત્તિ કોઇ આશંસાથી કરતો નથી. ૧૦૧ ૧. મહુપત્નમ્મેન= વિદ્યમાનની પ્રાપ્તિ થવાથી. ચારિત્રરૂપ આરોગ્ય વિદ્યમાન જ હતું, મોહના કારણે ગુમ થઇ ગયું હતું. મોહ દૂર થવાથી એની પ્રાપ્તિ થઇ.
SR No.023399
Book TitlePanch Sutram
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2004
Total Pages194
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy