SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ બજાર જજ કરવા કાજ - હવે ચક્રી પિતાનું શરીર વિછાય દેખીને ચિંતવવા લાગ્યા કે, અહે અનિત્યતા સંસારની, ! અહ અસારતા સંસારની ! જે એટલી વારમાં શરીર વિનાશ પામ્યું. તે માટે એને વિષે પ્રતિબંધ કરે તે અયુક્ત છે. રુપ-યૌવનને અભિમાન કર એ મોટી મૂર્ખાઈ છે. માટે હવે એને ત્યાગ કરીને પરલોકનું સાધન કરું. એમ વિચારી પુત્રને રાજ્ય સ્થાપ્યું. તે જોઈ બે દેવતા પણ બેલ્યા કે, અહ ધીર પુરુષ ! તમે પૂર્વ પુરુષને ભલે માર્ગ અંગીકાર કર્યો. એમ પ્રશંસા કરી તે દેવતા દેવલોકે ગયા. હવે ચકી પણ સર્વસંગ ત્યાગ કરી ચારિત્ર અંગીકાર કરતા હતા. ત્યારે સ્ત્રીરત્નપ્રમુખ ચૌદરત્ન, નવનિધાન, યક્ષદેવતા, તથા લશ્કર પ્રમુખ જે પરિવાર હતું તે તે સર્વ સાથે થયે. ઘણા વિલાપ કરતા, ચારે તરફ વિટાઈ રહયાં. સનત્કુમાર ત્રાષિ છઠને પારણે ગોચરીએ નીકળ્યાં ત્યાં ચણાના ફેતરા અને બકરીના દુધની છાશ મલી તે વાપરીને વળી બીજે છઠ કર્યો, ત્યારે સર્વ રેગ બહાર નીકળ્યાં, તેની મહાવેદના ભેગવતા હતા. એમ તપ કરતાં થકાં, આમોસહિ, ખેલેસહિ-વિપેસહિ પ્રમુખ સાત લબ્ધિઓ ઉત્પન્ન થઈ. તે પણ શરીરની શુશ્રષા કાંઈ પણ કરે નહીં. વળી એકદા સૌધર્મેન્દ્ર સભામાં બેઠા પ્રશંસા કરતા હતા કે, અહે! સનત્કુમાર મુનિની ધીરતા જૂઓ કેવી છે. કે, રેગે કદના પામે છે, તે પણ તેને ઉપચાર કરતા નથી. તે વાત નહિ માનતા બે દેવતા શબર વૈદ્યના રૂપ કરીને ત્યાં આવ્યાં, અને કહેવા લાગ્યા કે, હે ભગવદ્ ! તમારા રોગનું ઔષધ કરીએ, રાગ શમાવીએ, તે પણ મુનિ બેલ્યા નહી. ફરી મુનિને પૂછ્યું ત્યારે મુનિ બેલ્યા કે, તમે દ્રવ્યોગ ટાળશે કે ભાવરોગ ટાળશે? ત્યારે વૈદ્ય બેલ્યા કે ભાવગની દવા તે અમે જાણતા પણ નથી. ત્યારે ચકીએ પિતાનું થૂક લઈ અંગુલિએ ચેપડયું. એટલે કનકવણી કાયા થઈ ગઈ. તે દેખાડીને કહ્યું કે હે વૈદ્યો ! આ દ્રવ્યોગ તે હું પણ ટાળી શકું છું. પરંતુ સંસારરૂપ ભાવગ ટાળવા સમર્થ છે તે ટાલે. • doddessodeselesedeedoooooooooooooooooooooooooooooooooooooooooooooooodstee ૧૨૨
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy