SearchBrowseAboutContactDonate
Page Preview
Page 767
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ શારદા સિદિ પર ખસી ગઈ એટલે ભીમસેન આગળ વચ્ચેા. દેવસેન અને કેતુસૈન અને બાલુડાએ ખા....ખા....કરતાં આગળ આવીને સુશીલાને વળગી પડયા. સુશીલાએ અપૂર્વ વાત્સલ્યથી અને બાળકોને પેાતાની છાતી સરસા ચાંપી દીધા. બાળકો પણ ત્રણ ત્રણ દિવસથી માતાથી વિખૂટા પડેલા હતા. માળકોને તેા માતાના ત્રણ દિવસના વિયેાગ ત્રણ વર્ષ જેવા હતા એટલે માતાને એવા વળગી પડ્યા કે હવે માતા મૂકીને પાછી ચાલી ન જાય, પણ આજે તેા માતા અને પિતા બંનેને સાથે જોઈને બાળકો ખૂબ આનંદમાં આવી ગયા ને સૌ સાથે રાજમહેલમાં આવ્યા. વિજયસેનના રાજમહેલમાં તેા જાણે એક ઉત્સવ થઈ ગયા. સ્નેહીઓના મિલનથી મહેલના ખૂણે ખૂણા ગુ'છ ઉડયા અને ચારે ખાજી આનંદનું વાતાવરણ છવાઈ ગયું. અધા આનંદથી મળ્યા પછી સુદર સ્વાદિષ્ટ ભેાજન તૈયાર કરાવેલા હતા તે જમવાના સમય થતાં બધા સાથે જમવા બેઠા. વિજયસેન તથા સુલેાચનાએ ભીમસેન, સુશીલા તથા બંને બાળકોને ખૂબ પ્રેમથી આગ્રહપૂર્વક જમાડયા. રાજમહેલ છેાડયા પછી આજે જ મિષ્ટાન્ન પીરસાયા હતા પણ આજે તેા સ્વજને મળવાથી ભૂખ પણુ ભાગી ગઈ હતી છતાં પ્રેમથી જમ્યા. જમ્યા પછી ભીમસેન, સુશીલા, દેવસેન અને કેતુસેન બધા મળ્યા, અને હું ને શાકનાં આંસુ વહાવ્યા, પછી નાનકડા દેવસેન અને કેતુસેન ભીમસેનની કોર્ટ વળગીને કહે છે પિતાજી! તમે તા અમને ઉંઘતા મૂકીને ચાલ્યા ગયા. ગયા તે ગયા પછી આવ્યા જ નહિ ને ? અમારી માતાએ કેટલા દુઃખ વેઠયા ? કેવી મજુરી કરી પેટે પાટા બાંધીને અમને ખવડાવતી. ઘણી વાર તે ત્રણ ત્રણ દિવસ ભૂખ્યા રહેવાના વખત આવી જતા. પિતાજી ! અમે તમને ખૂબ યાદ કરતા હતા ને અમારી માતા તા કેવી રડતી હતી! પણ તમે તેા અમારી ખબર લેવા જ ન આવ્યા ને ? આ સાંભળીને ભીમસેનની આંખમાં આંસુ આવી ગયા. સુશીલાએ બાળકોને કહ્યુ' તારા પિતાજીને એવું ન કહેવાય. જો એમને કેટલું દુઃખ થાય છે ? એમ કરીને ભીમસેનને શાંત કર્યાં. ત્યાં વિજયસેન અને સુલોચના પણ આવી પહેાંચ્યા. ‘ જીવનને ધિક્કારતી સુલેાચના ” :- ત્રણ વર્ષ માં તા ભીમસેન અને સુશીલાના માથે એટલી બધી વીતક વીતી હતી કે વાત કહેતા એને પાર આવે તેમ ન હતા. બધા ભેગા થઈ ને દિવાનખાનામાં બેઠા પછી વિજયસેન અને સુલેાચનાએ ભીમસેન તથા સુશીલાને પૂછ્યું કે તમારે રાજ્ય છોડવાનું કારણ શું બન્યુ ? ત્યારે ભીમસેને અથથી ઇતિ સુધીની બધી વાત કહી સંભળાવી પણ એમાં કોઈના દોષ ન કાઢયા. પેાતાના કમ`ના દોષ કાઢચેા. ભીમસેન અને સુશીલાના દુઃખની કહાની સાંભળીને વિજયસેન અને મુલેચનાની આંખમાં આંસુની ધાર થઈ. મુદ્દોચના તે મેટી બહેનને ગળે વળગીને રડવા લાગી, અને રડતી રડતી કહે છે. અરેરે....મારા બહેન-બનેવીએ મારા જ ગામમાં આવા દુઃખા વેઠયા ! હું કેવી કમભાગી કે અમને કાંઈ ખબર જ ન પડી ! અમને ધિક્કાર છે કે અમે સુખ <<
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy