SearchBrowseAboutContactDonate
Page Preview
Page 718
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિત કરવા માટે અરિહંત પ્રભુની ઉપાસના કરવી જોઈએ. એમાં મુખ્યત્વે અરિહંત પરમાત્માનું ધ્યાન ધરવું જોઈએ. એ ધ્યાન એવું કે જાણે સાક્ષાત્ અરિહંત ભગવાન આપણું સામે જ ન બિરાજમાન હોય ! એવું દયાન આત્માની કર્મ શુંખલાઓને તોડી નાંખે છે. જેવી રીતે વિષની વ્યાધીવાળાને અમૃતનું એક બિંદુ પણ નિવિષ કરી નાંખે છે એમ અરિહંત ભગવાનનું ક્ષણવાર પણ લયલીન ધ્યાન કર્મોના ગંજ બાળી નાંખે છે અને દુષ્કૃત્યોની વાસનાના કૂરચા ઉડાડી દે છે.” આવી રીતે વારંવાર અરિહંત ભગવાનનું ધ્યાન ચાલુ રહે તે આપણે કેટલા કર્મોના ગંજ બળીને સાફ થઈ જાય, અને કેટલી કુવાસનાઓ સાફ થાય પછી અનુક્રમે ઘાતી કર્મોનો ક્ષય થતાં આત્મા કેવળ જ્ઞાન પામી પરમાત્મા સ્વરૂપને પ્રાપ્ત કરે છે. આટલે સુધી જે જીવ પહોંચવાને લાયક બનતું હોય તે તે સમ્યક્ત્વને પ્રભાવ છે, માટે મનુષ્ય ભવ પામીને ઓછામાં ઓછું સમ્યક્ત્વ રત્ન તે પ્રાપ્ત કરી લેજે, કારણ કે સમ્યક્ત્વ પામ્યા પછી જીવની રેનક બદલાઈ જાય છે. પાપ પ્રત્યે પ્રણ છૂટે છે. પાપમાં એવી જવલંત હેય બુદ્ધિ જાગે છે કે તેથી એને પાપ કરવાને રસ મરી પરવારે છે. જે એનું ચાલે તો એ પાપનું સેવન કરે નહિ. મિથ્યાત્વ ગયા પછી સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે, ત્યારે એને પાપ ખરાબ લાગવા છતાં નિકાચિત ચારિત્ર મોહનીય કર્મ બળજબરીથી એની પાસે પાપ કરાવે છે. પાપમાં રસનિર્ભીકતા રખાવનાર કર્મ મિથ્યાત્વ મેહનીય કર્મ છે અને પાપ સેવન કરાવનાર ચારિત્ર મહનીય કર્મ છે. જેણે મિથ્યાત્વ મોહનીયને કચરી નાંખ્યું હોય તેને પૂછી પાપ આદરવા જેવું ન લાગે પણ જેને ચારિત્ર મેહનીય કર્મ નિકાચિત કોટીનું અર્થાત તીવ્ર ચીકણું કર્મ બંધનવાળું હોય એ જીવને પાપ ત્યાગના વ્રત નિયમને પુરૂષાર્થ કરવા ન દે. પાપસેવનમાં ડૂબેલે રાખે. પાપમાંથી એને ઉઠવા ન દે. આ નિકાચિત કર્મ લકવાની બિમારી જેવું છે. જેમ કે ઈ માણસને લક થયો હેય ને એ પથારીવશ છે. સામેથી સાપ આવી રહ્યો છે. એ આવતા સાપને જોઈને સમજે છે કે મારે અહીંથી ભાગી જવું જોઈએ. નહિ ભાગી જાઉં તે સાપ કરડશે ને હું મરી જઈશ, છતાં એ બિચારો ઉઠી શકો નથી. સાપના ભયથી બચવા માટે એને ઉઠીને ભાગી જવાનું ઘણું મન થાય છે છતાં લકવા જેવો વ્યાધિ એને ઉઠવા દેતું નથી, તેથી એને તે બળતરાને પાર નથી. એમ નિકાચિત કર્મ એને પાપમાંથી ઉઠવા દેતું નથી. એટલે કે પાપ ત્યાગ કરવા દેતું નથી, સમ્યક્ત્વના પ્રકાશમાં એને દેખાય છે કે પાપ રૂપી સાપ પિતાને ડેશ દેશે અને એક મત નહિ પણ અનેક દુઃખદ જન્મ મૃત્યુ આપશે તેથી એને ભારે બળતરા થાય છે એટલે સમજવા જેવું છે કે જે અંતરમાં ખરેખર સમ્યકત્વને પ્રકાશ ઝળહળતું હોય તે પાપે સેવનમાં બળતરાને પાર ન હોય અને જે પિતાનું ચાલે તો
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy