SearchBrowseAboutContactDonate
Page Preview
Page 659
Loading...
Download File
Download File
Page Text
________________ • શારદા સિદ્ધિ આવતી નથી ને વૈરાગ્યના પ્રકાશ હાતા નથી. બ્રહ્મચર્ય એ મહાન તપ છે. મહાન પુરૂષોના જીવનમાં તપ-ત્યાગ-શીલ-સ ંયમ-સદાચારની સૌરભ મ્હે'કતી હોય છે. આવા ગુણિયલ મહાપુરૂષો સ'સારમાં રહીને પણ ત્યાગી જેવુ... જીવન જીવતા હાય છે. કયારેક એવા પુરૂષાથી ભૂલ થાય તેા એ ભૂલનું પ્રાયશ્ચિત કરવા માટે કાયા કુરબાન કરી દે છે. શીલ ધને નિમ`ળ રાખવા આગળના માણસોએ કેવુ. ખલિદાન આપ્યુ છે ! અહી મને એક વાત યાદ આવે છે : ભારતના એક રાજ્યમાં વલરાજ નામે એક પવિત્ર રાજા થઈ ગયા. એ ભગવાનના પરમ ભક્ત હતા. ન્યાય, નીતિ અને સદાચાર આદિ ગુણાથી અલ'કૃત હતા. એમના વિશુદ્ધ જીવનના પ્રભાવથી એમનુ' રાજ્ય સમૃદ્ધ ને સ્વસ્થ હતું. પ્રજાજનાને ખૂબ શાંતિ હતી. પ્રજા રાજાને દિલથી ખૂબ ચાહતી હતી. આ ધર્માત્મા વલ્લરાજને એક પુત્ર હતા. એ પણ પિતા જેવા ધમપ્રેમી, ન્યાયપ્રેમી, શીલપ્રેમી અને સત્સ*ગપ્રેમી હતા. અને સ'સારના જરા પણ માહ ન હતા. આવા પુત્રને જોઈને પિતાની છાતી ગજગજ ફૂલી જતી હતી. આવા વલ્લરાજને એક વખત યાત્રા કરવા જવાનું મન થયું, તેથી પેાતાના ધર્મિષ્ઠ પાટલીપુત્ર પાસે જઈ ને કહ્યું-બેટા ! મારી છ મહિના યાત્રાએ જવાની ભાવના છે. જયાં જયાં સંત સતીજીએ હશે ત્યાં હું જઈશ ને એમની પાસેથી સત્સ`ગના લાભ લઈશ. તિથિને દિવસે પૌષધ કરીશ, અને મારી ઇચ્છા પ્રમાણે એ ત્રણ દિવસ રાકાઈ ન છ મહિને પાછો આવીશ. ત્યાં સુધી તું રાજ્યનું' ખરાબર સંચાલન કરજે. "" “પુત્ર તરફથી પિતાને મળેલા સતેષ ” :– રાજકુમારે કહ્યુ–પિતાજી ! આપ રાજ્યની બિલકુલ ચિ ́તા ન કરશે. આપને જ્યાં સુધી સત્સંગનો લાભ લેવાની ઈચ્છા હાય ત્યાં સુધી લેજો. પુત્રના વચનેથી સંતુષ્ટ થઈને રાજાએ તેને રાજ્ય સેાંપીને એક શુભ દિવસે રાજ્યમાંથી પ્રયાણ કર્યુ. યુવરાજ ખરાખર રાજતંત્ર સ`ભાળવા લાગ્યા. જ્યારે રાજકા માંથી નિવૃત્ત બનતા ત્યારે પેાતાના મિત્રો સાથે ધમ ચર્ચા કરતા ને આત્માની વાત કરતા ને આનંદથી દિવસે પસાર કરતા. રાજાને ગયા ને ત્રણ ચાર મહિના થયા હશે ત્યાં એક દિવસ એવા ગાઝારા ઉગ્યેા કે યુવરાજના જીવનમાં એક ભયકર દુર્ઘટના બની ગઈ. “ પનિહારીઓને જોતા કુમારને આવેલો વિચાર” :- એક દિવસ યુવરાજ અને એમના મિત્ર મહેલના ઝરૂખે પોતાના મિત્રો સાથે વાતેા કરતા બેઠા હતા. તે વખતે નગર બહાર કૂવેથી પાણી ભરીને પનિહારીએ પસાર થઈ રહી હતી. તેમાં એ યુવાન પનિહારીએ માથે પાણીનું ચકમકતુ ખેડુ લઈને જતી હતી એમના ઉપર યુવરાજની કિષ્ટ પડી. આ બંને નિહારીએ જાણે કેાઈ સ્વગમાંથી દેવાંગનાઓ ન ઉતરી પડી હાય એવી સૌદર્યવાન હતી. એને જોઈ ને પવિત્ર હૃદયના શીલપ્રેમી
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy