SearchBrowseAboutContactDonate
Page Preview
Page 658
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ ૬૦૭ બંધુઓ! મનુષ્યપણું એ કેઈ ઉધાર લઈ શકાય એવી વસ્તુ નથી કે જેને જીવ મનમાં આવે ત્યારે મેળવી શકે અને મનમાં આવે ત્યારે પાછી આપી શકે. એ તે પૂર્વના કેઈ મહાપુણ્યના ફળ રૂપે નદી પાષાણ ન્યાયે કરીને સ્વયં પિતાની મેળે મળતી વસ્તુ છે. અનંત આત્માઓએ આ સાધારણ દેખાતા માનવદેહથી પિતાના આત્માની મુક્તિ મેળવી છે. વર્તમાનમાં મેળવે છે ને અનંત આત્માઓ ભવિષ્યમાં મેળવશે. આટલા માટે મનુષ્યભવને મહાદુર્લભ અને મહામૂલ્યવાન ગણવામાં આવે છે. સંસારમાં કોઈ પણ વસ્તુ એવી નથી કે જેનું મૂલ્ય એના કેઈ પણ પ્રકારના ઉપયોગનું નિરીક્ષણ કર્યા વિના થઈ શકતું હોય. ખરી રીતે તે દરેક વસ્તુના મૂલ્ય પ્રમાણે એને ઉપયોગ થાય છે. જે વસ્તુને ઉપગ જેટલે મહાન એટલી વસ્તુ વધુ મહત્વની હોય છે. ભલે, પછી એ વસ્તુ દેખાવમાં ગમે તેવી લાગતી હોય. આ જ હિસાબ માનવ દેહ માટે છે. માનવ દેહથી થતી સાધના અતિ મહાન છે. યાવત્ મેક્ષ મેળવવા સુધીની એ સાધનાની મર્યાદા છે. મેક્ષ મેળવવા માટે માનવદેહની મહત્તા છે. જેટલી સાધના મહાન એટલી મહત્તા પણ મહાન, તેથી માનવદેહની પ્રાપ્તિ અત્યંત દુર્લભ છે. માનવદેહ પ્રાપ્ત થયા પછી મનુષ્યપણુની પ્રાપ્તિ થવી અત્યંત દુર્લભ છે. શા માટે? જીવાત્માએ પૂર્વભવમાં કેટલુંય પુણ્ય સંચિત કર્યું હોય, કેટલીય શુભ પ્રવૃત્તિઓ આદરી હોય અને કેટલુંય તપ કર્યું હોય ત્યારે આ મનુષ્યપણું પ્રાપ્ત થાય છે. આટલા માટે એને મુશ્કેલ માનવામાં આવે છે. બંધુઓ ! આ રીતે મનુષ્યપણું ભગવાને મહાદુર્લભ કહ્યું છે. તમને આ વાત સમજાણી? સંસાર રૂપ કેદખાનામાં પિસવાના બારણાં ઘણાં છે પણ એમાંથી નીકળવાનું બારણું તે એક મનુષ્યભવ છે. પહેરેગીર ભૂલથી જેલને દરવાજો ખુલ્લો મૂકીને કદાચ ચાલ્યો જાય, કેદીના હાથપગમાં બેડી નાંખવાનું પણ કદાચ ભૂલી જાય છે તે સમયે કેદી જેલમાં પૂરાઈ રહે ખરો? ના. તેમ જીવને સંસારરૂપી જેલમાં પૂરનાર મોહરૂપી પહેરગીરે ભૂલથી દરવાજો ખુલ્લો મૂક્યું છે. મતલબ કે મેહરૂપી પહેરેગીરે જીવને સંસારરૂપી જેલમાં પૂર્યો પણ એ પહેરેગીરની નજર ચુકાવી સંસાર રૂપી જેલમાંથી છેડાવે એ ધર્મ અને જિનશાસન મળ્યું. મનુષ્ય જન્માદિ સામગ્રી મળી, હાથ પગમાં નાંખેલી કષાયરૂપી બેડીઓ ઢીલી થઈ ગઈ છે, ઉપશમી છે તે સમય ઓળખીને આ જેલમાંથી નાસી છૂટો. બાકી આ જેલમાંથી છૂટવું મહામુશ્કેલ છે. વિષય કષા આ જીવને જેલમાં જકડી રાખે છે. એમાંથી છૂટવા દેતા નથી. વિષય કક્ષાએ તે આપણા આત્માના ગુણને ખુવાર કરી નાંખ્યા છે. વિષય ભેગો ભોગવવાથી પુણ્યની પાયમાલી થાય છે ને પાપની કમાણી ઉભી થાય છે. વિષયે એ વિષ છે એ જ્યારે સમજાશે ત્યારે ધર્મ એ અમૃત છે એ વાત સમજાશે. વિષયે અને કષાયના કચરાને દૂર કરવા બ્રહ્મચર્યનું પાલન કરો, વિષય કષાયના આવેશ હોય ત્યાં ગુણસમૃદ્ધિ
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy