SearchBrowseAboutContactDonate
Page Preview
Page 650
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ન. ૬૦ ભાદરવા વદ ૧૩ ને મંગળવાર તા. ૧૮-૯-૭૯ અનંત ઉપકારી, રૈલોકય પ્રકાશક, કરૂણાસિંધુ, શાસ્ત્રકાર ભગવતે જગતના જીના એકાંત હિત માટે ઉપદેશ આપતાં ફરમાન કર્યું કે હે જી ! મુનિ તૈs સttrf” સર્વને સુખ બહુ પ્રિય છે પણ સાચું સુખ શેમાં છે તેની ખબર નથી. સમસ્ત સુખે સંતેષ પ્રધાન છે. સુખને સાચો સાથી સંતોષ છે. જ્યાં સંતેષ છે ત્યાં સુખ છે. ત્યાં દુઃખ બિચારું ફરકી શકતું નથી, માટે જે કાંઈ પૂર્વકૃત કર્માનુસાર મળે તેમાં સંતોષ માને. તમારા કરતા વધુ શ્રીમતે તરફ અને સત્તાધીશ તરફ તે જેશે નહિ. જે તેમના તરફ જોશે તે તમારા સુખી સંસારમાં આગ ચંપાશે અને સુખી સંસાર પણ દુઃખી દુઃખી બની જશે. જે તમારે જેવું જ હોય તે ધર્મના ક્ષેત્રમાં આપણું આગળ હોય તેની તરફ જેવું અને સાંસારિક ક્ષેત્રમાં જે આપણુથી પાછળ હોય એના તરફ જેવું. સાચા સંતોષીને સુખ કદી છોડતું નથી અને અસંતોષને દુઃખ કદી છોડતું નથી, માટે ઈચ્છાઓને ઘટાડશે તે દુઃખ ઘટશે ને સુખ વધશે. વિવિધ અને વિચિત્ર ઈચછાઓ ઈન્સાનને ઈશ્વર તરફ જતાં આડી આવે છે માટે ઇચ્છાઓ ઉપર નિયંત્રણ મૂકે. ઈચ્છાએ ઈન્સાનને અચ્છ બનવા દેતી નથી. વધુ પડતી ઈચ્છાઓના કારણે આજને માનવી ન્યાય નીતિના માર્ગથી ચલિત બન્યો છે. શીલ અને સદાચારને છેલી સલામ ભરી છે. અમર્યાદિત ઈચ્છાઓએ આજે માનવીને દુરાચારી, ભ્રષ્ટાચારી, વ્યભિચારી, અન્યાયી અને અનીતિખેર બનાવે છે. જેની ઈચ્છાએ મર્યાદિત હોય તે ધર્મના માગે અણનમ ઉભું રહી શકે, માટે સંતોષ જેવું સુખ કે ધર્મસાધન નથી માટે સંતોષી બનેને સુખી થાઓ. બંધુઓસંતેષ એ માનવ જીવનનું અમૂલ્ય કોહિનૂર છે. કેહિનૂર રત્નને કેણુ પિછાણું શકે? રત્નને પારખનાર તે ઝવેરી જ હોય ને! સાચે ઝવેરી નજર પડે ને ઝવેરાતને પારખી જાય કે આ સાચું ઝવેરાત છે કે કાચના ટુકડા છે? એવી રીતે ધર્મને પામેલો આત્મા તરત સમજી શકશે કે ક્ષમા, સંતેષ આદિ રત્નનું જીવનમાં કેટલું મૂલ્ય છે! એ ગુણ રૂપી રને કેટલા બધા કિંમતી છે. એ રત્ન માનવ જીવનમાં જડાઈ જાય તે જીવન કેવું તેજસ્વી ઝગમગતું બને છે એ તે ધર્મ ઉપર શ્રદ્ધા રાખનારા ઉત્તમ જી સમજી શકે છે. જીવનમાં સંતોષ આવ્યા પછી બહારને ઉકળાટ શમી જાય છે અને જીવનમાં સુખ શાંતિને અનુભવ થાય છે પણ જેના જીવનમાં ક્ષમા નથી તે સદા કષાયેની આગમાં જલતો રહે છે અને જેના જીવનમાં સંતોષ નથી એને ઘેર રાજા મહારાજા જેવી સાહ્યબી હોવા છતાં એ અસંતોષની આગમાં બળતું રહે છે ને તૃષ્ણના પૂરમાં તણાતે રહે છે.
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy