SearchBrowseAboutContactDonate
Page Preview
Page 585
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિંહે છે, પણ ઇન્દ્રિયના ગુલામ બનીને નથી ગયા, માટે બને તેટલો ઈન્દ્રિો ઉપર વિજય મેળવે, અને માનવજીવનની મહેક મહેકાવતા જાઓ. ફૂલ બગીચામાં ખીલે છે ને કરમાય છે પણ એ એની મહેંક મહેકાવતું જાય છે એમ તમે પણ માનવ જીવનની સૌરભ ફેલાવતા જાઓ. આ પૃથ્વી ઉપર એવા ઘણું મનુષ્ય થયા છે કે જેમને ગયા વર્ષો વીતી ગયા છતાં આજે તેનું નામ આ પૃથ્વી ઉપર અમર છે. એમનું નામ ગંજતું ને ગાજતું છે. * આજે ઘણી જગ્યાએ ઝંડુ ફાર્મસીની દવાઓ મળે છે. ઘણી દુકાને ઉપર બોર્ડ લગાવેલું હોય છે કે “ઝંડુ ફાર્મસીની દવાઓની પ્રખ્યાત દુકાન.” એ ઝંડુ ફાર્મસીની દવાઓ બનાવનાર કેણ હતો ? અને એનું જીવન કેવું પવિત્ર હતું એ જાણે છે ? ઘણાં વર્ષો પહેલા ઝંડુ ભટ્ટ થઈ ગયા, પણ આજે એની સૌરભ પ્રસરી રહી છે. માનવતાના ઝળહળતા દીવડા કાયમ જગત ઉપર પ્રકાશ પાથરતા રહે છે. એમાંને આ ઝંડુ ભટ્ટ પણ એક ઝગમતે દીવડે હતે. એ દીવડો જામનગરની પવિત્ર ભૂમિમાં પ્રગટ હતો. આ ઝંડુ ભટ્ટ નાડી પારખવામાં ખૂબ હોંશિયાર હતા. એમનું જામનગરના રાજ્યમાં રાજદ તરીકે માન હતું. જામનગરના જામસાહેબ ખૂબ દયાળુ હતા એટલે પિતાના નગરમાં દર્દીઓની સારી ચિકિત્સા થાય ને લોકોને સારી રાહત મળે તે માટે ઝંડુ ભટ્ટને નીમ્યા હતા. આ ઝંડુ ભટ્ટ જ્ઞાતિના બ્રાહ્મણ હતા. એમના ધર્મના કિયા કાંડમાં પણ ઘણું ચુસ્ત હતા. કે રાજ્યમાં રાજવૈદ તરીકે એમનું ઘણું માન હોવા છતાં પિતાના ધર્મના નિયમો અને ક્રિયાકાંડે કદી ચૂકતા ન હતા. વૈદમાં જે જે ગુણે હોવા જોઈએ તે બધા જ ગુણે એમના જીવનમાં મેજૂદ હતા. આ રાજવૈદને રાજ્ય તરફથી રૂપિયા ૨૦૦) મળતા હતા. બસો રૂપિયામાંથી એમને બધું પૂરું કરવાનું હતું. દવાખાનાને હિસાબ રાખવા માટે એક મુનિમજી રાખ્યા હતા. પરિવારમાં તે પોતે બે જ માણસ હતા. રૂ. ૨૦૦૦માંથી મુનિમજીને પગાર, ઘરને ખર્ચ, દવા અને દવાઓ પીસવા માટેના નેકરનો પગાર, આ બધું ૨૦૦) રૂપિયામાંથી કાઢવાનું અને પ્રજાને દવા મફત, સેવા પણ મફત, નાના મટા, શ્રીમંત-ગરીબ વિગેરેના ભેદભાવ રાખ્યા વગર એ સૌની સરખી માવજત કરતા હતા. એમની દવાથી ઘણું દર્દીઓને રાહત થતી. ચારે તરફ એમની કીતિ ખૂબ ફેલાઈ ગઈ હતી. લોકે દૂર દૂરથી દવા લેવા માટે આવતા હતા. એમની સેવાથી ખુશ થઈને શ્રીમતે એમને પૈસા આપવા આવતા ત્યારે ઝંડુ ભટ્ટ કહી દેતા કે ભાઈ! મને રાજ્ય તરફથી પૂરતે ખર્ચ મળી રહે છે, પછી મારે તમારા પૈસા લેવાની શી જરૂર? મારે તમારા પૈસા લઈને ભગવાનના અને રાજાના ગુનેગાર થવું નથી. મને જે મળે છે તેમાં સંતેષ છે. ઝંડુ ભટ્ટના જીવનમાં કેટલો સંતેષ હશે ! એને સામેથી મળે છે છતાં લેવાની ઇચ્છા કરતા નથી, તે શ્રીમંત નથી, માંડ માંડ પૂરું કરે છે પણ એમને એક સિદ્ધાંત
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy