SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૦ શારદા સિદ્ધિ આ પ્રમાણે કહ્યુ. એટલે દ્વારપાળના મનમાં પણ એમ થયુ` કે મહારાજાને એમના ભાઈ પ્રત્યે કેટલી લાગણી છે! મહારાજાને નમન કરીને કહ્યુ' સાહેબ! યુવરાજ આજે વસંતક્રીડા કરતા ખૂબ થાકી ગયા ને સાંજ પડી ગઈ હાવાથી બગીચાની લતાકુ જમાં આરામ કરતા હશે. અહા! આવા નિર્જન બગીચામાં કઈ એકલા પડી રહેવાતુ હશે ? ચાલા, હું તેને રાજભવનમાં લઈ જાઉ'. એમ કહીને મણિરથ દોડતા યુગમાડુ જ્યાં સૂતા હતા ત્યાં આવ્યા ને યુગબાહુને હેતથી ઢઢાળીને કહે છે, વીરા ! તુ' અહી' વગડામાં કયાં રોકાઈ ગયા ? તને રાજમહેલમાં ન જોતાં મારા જીવ અદ્ધર થઈ ગયા, એટલે તારી શેાધ કરતા કરતા હુ' અહીં આવ્યે . વીરા ! અહીં રાત્રે ન રહેવાય. ચાલ, આપણે રાજભવનમાં જઈએ. પોતાના વડીલ અનેા પ્રેમ જોઈને યુગબાહુ ઊભા થઈ ગયા ને હાથમાં હાથ મિલાવતા કહ્યુ મેાટાભાઈ! આપે મારા માટે કેટલી બધી તકલીફ્ લીધી. આખા દિવસના થાકયા પાકયા પાછા રાત્રે મને ખેલાવવા આવ્યા. ચાલેા, અમે આવીએ છીએ, એમ કહીને યુગખાહુ ઊભો થયા ત્યાં તે મણિરથે ઝડપભેર પોતાની કમ્મરેથી કટાર કાઢીને નાનાભાઈના પેટમાં ભોકી દીધી, ત્યારે એના મુખમાંથી કારમી ચીસ નીકળી ગઈ, એટલે મયણુરેહા દોડતી ત્યાં આવી. જેને દોડતા જોઈ ને અને પતિને ઘાયલ થયેલો જોઈ ને પરિસ્થિતિ સમજી ગઈ. પતિના પેટમાંથી લોહીની ધારા વહેવા લાગી ને મયણરેહાની આંખેામાંથી આંસુની ધારા વહેવા લાગી. 4 પતિના અ‘તિમ સમય સુધારતી મયણુરેહા અંધુએ ! મયણુરેહા એ યુગમાહુની પત્ની જ નહિ પણ ધર્મ પત્ની હતી. એણે જાણ્યુ` કે પતિ હવે મૃત્યુ શૈયામાં પોઢયા છે ત્યારે એમનું મરણ સુધારવું એ મારી પહેલી ફરજ છે. અતરમાં જબ્બર આઘાત હતા. આંખની પાંપણ પાછળ આંસુઓના સાગર લહેરાઈ રહ્યો હતા, પણ એ રુદનને દાખી દઈ ને પોતાના પતિને સ`સાર ભૂલાવી ધર્મની યાદ આપતા કહ્યું': નાથ! આ સ`સારની માયા છોડી દેજો, આંખ સામે અરિહંત, સિદ્ધ, સાધુ અને ધને રાખીને એમનુ શરણ સ્વીકારો. આત્માને કાઈ દુશ્મન નથી કે દાસ્ત નથી. દાસ્ત કહેા કે દુશ્મન કહેા એ પોતાના આત્મા જ છે, આ કટારી આપના ભાઈ એ નહિ પણ કમે મારી છે માટે એમના ઉપર દ્વેષભાવ નહિ કરતા. સર્વ જીવાની સાથે વૈરનું વિસર્જન અને સ્નેહનું સર્જન કરીને મૃત્યુને મહાત્સવ મનાવી લેજો. આવા સુંદર ઉપદેશ આપીને સંથારા કરાવી નવકારમંત્રના શરણાં દેવા લાગી. થોડી વારમાં પતિનું પ્રાણપ’ખેરુ' ઊડી ગયું. સતીના ઉપદેશથી યુગમાહુ એની સાધના સાધી ગયા. ,, - બીજી તરફ યુગમાહુને મારીને મણિરથ જઈ રહ્યો હતો. કેઈ જોઈ ન જાય તે ભયથી જલદી દોડવા ગયા, એટલે પેાતાની નામવાળી લોહીથી ખરડાયેલી કટાર ત્યાં જ પડી રહી, મણિરથે વિચાર કર્યાં કે મેટા રસ્તેથી જઈશ તે મને કોઈ જોઈ જશે
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy