SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ શારદા સિદ્ધિ ને ? લોચનદાસે કહ્યું–હા, હું તને ઓળખતો ન હતો એટલે બહેન જ કહું ને? ત્યારે કન્યાએ કહ્યુ' : બસ, આપે મને અહેન કહીને ખેલાવી છે તો હુ. આજથી આપની બહેન અનીને રહીશ. આપ ફરીને લગ્ન કરી, પણ મારી એક નમ્ર પ્રાથના સ્વીકારો કે આજીવન પર્યં ́ત મને આપની સેવા કરવાના લાભ મળવા જોઈ એ. હું આપની બધી સેવા કરીશ ને આ ઘરમાં રહીશ. આપના સુખમાં કઢી આડખીલ નહિ અનુ. હું તો આપની સેવાની ભૂખી છુ, વાસનાની ભૂખી નથી. પત્નીના આવા શબ્દો સાંભળીને લોચનદાસે કહ્યુ', મેં તને બહેન કહી તો હું તારા ભાઈ જ થયા ને ? જો તું મારી બહેન બનીને જીવનભર મારી સેવા કરવા ઇચ્છે છે તો શુ હું બીજી કન્યા સાથે લગ્ન કરીને સુખ ભોગવું? હું કઈ વાસનાના ભૂખ્યા નથી. હુ' દેહના પૂજારી નથી પણ આત્માના ગુણના પૂજારી છું. આપણે સદાના સાથી સગા ભાઈ-બહેન બનીને રહીશુ.. બધુએ ! સ’સારના સુખ મ્હાલવા ઝંખતા એક વખતના પતિપત્ની ભૌતિક સુખને લાત મારીને શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરવા તૈયાર થયા. ભરયુવાનીમાં બ્રહ્મચર્ય નું પાલન કરવુ. એ કાંઈ સામાન્ય વાત નથી. મહાદુષ્કર છે. ધન્ય છે આવા પવિત્ર બ્રહ્મચારી આત્માઓને! હવે આપણે મૂળ વાત ઉપર આવીએ. ચિત્ત અને સ`ભૂતિ એ ખને મુનિએએ અનશન કર્યુ છે. ખીજી તરફ સનત્કુમાર ચક્રવતિ પેાતાના અંતેર સહિત તેમના દ્રુન કરવા માટે આવ્યા છે. બ્રહ્મચર્યંના તેજથી ઝળહળતુ લલાટ જોઈ ને સનતકુમાર ચક્રવતિ મુનિરાજોની સ્તુતિ કરતા કહે છે, અહે મુનિરાજ ! ધન્ય છે આપને! આપે લઘુવયમાં ભાગ છેડીને યાગના માર્ગ અપનબ્યા છે. આમ કહીને મુનિના ચરણમાં વન કરે છે ત્યારે ચક્રવર્તિની મુખ્ય પટ્ટરાણી શ્રીરત્ન સુનંદા પણ અત્યંત ભાવથી મુનિને વંદન કરવા લાગી. સ્ત્રીઓએ દૂર રહીને સાધુને વંદન કરાય પણ આ સનત્કુમાર ચક્રવતિની પટ્ટરાણી અત્યંત હર્ષાવેશમાં ભાન ભૂલીને નજીક જઈ ને વ’દણા કરવા લાગી. એના માથાનાં વાળ ખૂબ લાંબા હતા. એ સમયમાં સ્ત્રીએની શેાભા એના લાંબા ને સુંદર કેશકલાપથી વધતી હતી, જે સ્ત્રીના વાળ વધારે લાંબા હોય તે વધારે ભાગ્યવાન ગણાતી હતી, પણ આજે તેા ઊલટી ગંગા વહી રહી છે. અમારી બહેનેાને લાંબા વાળ ગમતા નથી એટલે કાપીને ટૂંકા કરાવે છે ને ભાઈ એ વાળ વધારે છે. કેમ ખરાખર છે ને ? (હસાહસ) આ સુનંદા રાણીને ચેટલે ઘણા લાંબે હતા. તેમાંથી એક લટ છૂટી પડી ગઈ ને સંભૂતિ મુનિના શરીરને તેને સ્પર્શ થયા. સુનંદા રાણીના સુવાળી અને સુગંધિત તેલથી મહેંકતી કેશરાશિના સ્પર્શ થતાં મુનિને સુખનો અનુભવ થયા એટલે ઊંચે જોયુ'. ચક્રવર્તિની સ્રીરત્નને જોઈ. એનુ રૂપ જોઈ સત્કૃતિ મુનિ ભાન ભૂલ્યા. બંધુએ ! આ સ ́ભૂતિ મુનિએ જ્યારે નમુચિ પ્રધાને માર મરાબ્યા ત્યારે પણ ભાન
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy