SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ ૧૨૭ વિરધવલ રાજાના જીવનને એક પ્રસંગ છે. વિરધવલ રાજા ળકામાં રાજ્ય કરતા હતા. પહેલા ધોળકા વિરાટ નગરના નામથી ઓળખાતું હતું. આજ એ નાનું ગામ બની ગયું છે પણ પહેલા મોટું શહેર હતું. એની જાહોજલાલી ખૂબ હતી. વિરધવલ રાજાએ ખૂબ લોકપ્રિયતા મેળવેલી. જ્યારે એ મૃત્યુ પામ્યા અને સ્મશાનમાં અગ્નિસંસ્કાર કરવાને થયે ત્યારે લોખંડના તારની વાડ બાંધવી પડી હતી. જે રાત્રે રાજા ગુજરી ગયા હતા તે જ રાત્રે રાજ્યના ગુપ્તચર દ્વારા ખબર પડી કે આવતી કાલે રાજાની ચિતામાં એકસો દસ યુવાને ઝપાપાત કરવાના છે કારણ કે રાજા મૃત્યુ પામતા નગરજનના હોશકોશ ઉડી ગયા ને જીવનમાંથી રસ પણ ઊડી ગયું કે અમારા પાલકપિતા, પરદુઃખભજન, દુઃખીઓના બેલી ચાલ્યા ગયા. હવે અમારે જીવીને શું કામ છે? એમ સમજીને યુવાને વરધવલ રાજાની ચિંતામાં પડીને બળી મરવાના હતા. એ યુવાને રાજાની ચિતામાં નૃપાપાત ન કરી શકે તે માટે ચિતાને ફરતી લોખંડના તારની વાડ કરી હતી. અને ચોકીદારે ખડે પગે ચેક કરવા ઊભા રહ્યા. ટૂંકમાં એ રાજાઓ કેવા હશે કે પ્રજાજને એમની પાછળ પિતાના પ્રાણનું બલિદાન દેવા તૈયાર થઈ જતા, આજે તે કઈ પ્રજાને આવે ન્યાય આપનાર નથી. અલીહુસેને કરેલો ન્યાય”: માણેકચંદ શેઠે જેમ તેમ કરીને મોતીચંદને સમજાવ્યું અને બીજે દિવસે મુસ્લીમ ઝવેરીને ઘેર લઈ આવ્યું ને બધા બેઠક રૂમમાં બેઠા એટલે અલીહુસેન બાજુના રૂમમાંથી યા ખુદા .....યા ખુદા કરતા ત્યાં આવ્યા ને કહ્યું કે મેતીચંદભાઈ, કયા બાત હૈ? માણેકચંદ શેઠ કા હીરા કી કયા બાત હૈ? તુમ લેગ સમજદાર ઈમાનદાર જેહરી હૈ ઔર એ સબ કયા બાત હૈ? મેતીચંદે કહ્યું ચાચા ! ડબ્બીમાં તે મેં જે હીરા ખરીદ કર્યા તે હતા. માણેકચંદ તદ્દન જુઠું બેલે છે ત્યારે અલીહુસેને કહ્યું-ચદિ જે તુમ સચ્ચે છે તે ખુદા કા નામ લેકર યહ મેરી કુરાન પર હાથ રાખો. મેતીચંદે કહ્યું – હા હું હાથ મૂકવા તૈયાર છું માણેકચંદે કહ્યું હું પણ તમે જેમ કહે તેમ કરવા તૈયાર છું, ત્યારે મોતીચંદ ઉછળીને કહે છે અલીચાચા ! જે તમને એથી પણ મારા ઉપર વિશ્વાસ ન હોય તે મારા એકના એક દીકરાના કસમ ખાઈને કહું છું કે તમારા હીરા એ ડબ્બીમાં ન હતા. અલીહુસેને કહ્યું અરે મેતીચંદ! તુમને ચે ક્યા કિયા? ઈતની સી બાતમેં ભી લડકે કી કસમ ખાલી ! અચ્છા નહિ કિયા. યા અલ્લા! યા ખુદા! કર્મને પ્રપઃ અલીહુસેનના બેઠક રૂમમાં આ પ્રમાણે વાતચીત થતી હતી ત્યાં તે માણસ પોકાર કરતાં ત્યાં દોડતા આવ્યા કે મેતીચંદશેઠ, દોડો દોડે. તમારા કહીયા કુંવર જેવા એકના એક દીકરાને ગાડી લઈને ફરવા જતાં ગાડી સાથે ખટારે અથડાવાથી એકસીડન્ટ થયે છે ને ખૂબ વાગ્યું છે. મેતીચંદ શેઠ દોડતા ત્યાં
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy