SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરામણી ] [૯ આ મારી નાવ તીરે, નાવ તીરે એ રીતે ખેલતાં નાવિક નાવડીને જલપ્રવાહમાં તરાવે છે એવી રીતે આ ખાલમુનિ તે પાત્રને પાણીમાં તરાવવા લાગ્યા. આ પ્રમાણે રમતા મુનિને સ્થવિર મુનિએ જોઈ ગયા, પછી શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પાસે જઈ ને અતિમુક્ત મુનિની ઠેકડી ઉડાવતા હેાય તેમ પ્રભુને પ્રશ્ન કર્યાં–હે પ્રભુ ! આપના અતિમુક્ત નામના ખાલ મુનિ જે શિષ્ય છે. તે અત્યારે ખાળકો જેવી રમત રમે છે. ઠંડીલ ગયા હતા તેા તેણે આ રીતે પાણીના પ્રવાહમાં પાત્ર તરવા મૂકયું. તે। અમે આપની પાસે એ જાણવાની ઈચ્છા રાખીએ છીએ કે આ ખાલમુનિ કેટલા ભવ કરીને મેક્ષે જશે ? ત્યારે ભગવાને કહ્યું, હું મારા શ્રમણેા ! તમે તે ખાલમુનિની ઘૃણા કરશે। નહિ, નિંદા કરશે। નહિ, તેના અનાદર અપમાન કરશે નહિ, તેને ક્રોધિત કરશેા નહિ, આ તે ચરમશરીરી જીવ છે. આ જ ભવમાં મેક્ષે જવાના છે. તમે એની અવહેલના, નિંદા કરીને કર્માં આંધ્યા હવે આપણી મૂળ વાત પર આવું. “ ભાવ તૂટા ’', કપાસના ભાવ વધ્યા તેા શેઠને કરોડપતિ કહેવા લાગ્યા. માન-સન્માન મળવા લાગ્યા અને કપાસના ભાવ તૂટયા તેા શેઠના ભાવ ઘટચા, પછી કોઈ એમને લાવતુ' : નથી. અહી` એ જ વાત લાવવી છે. અતિમુક્ત મુનિ ભગવાન પાસે આવ્યા ને વંદન કયા, ત્યારે ભગવાને કહ્યુ... હે અણુગાર ! તમે પાણીમાં નાવ તરાવી તેથી તમને પાપ લાગ્યું છે. અપકાયના જીવેાની જબરજસ્ત ખૂબ હિંસા થઈ તેનું પ્રાયશ્ચિત કરશે. તે માટે ઇરિયાવહિયાના કાઉસગ્ગ કરો. અહે ભગવાન ! મને આટલું બધુ' પાપ લાગ્યું. ઇરિયાવહિયા પડિક્કમતા પેાતાના પાપાની નિંદા કરી પાપના એવા અતરથી પશ્ચાતાપ કર્યાં, કે તેમના પાપ ધેાવાઈ ગયા. તેમના આત્મામાં પરિણામેાની ધારા વિશુદ્ધ બનતી ગઈ. એ પિરણામેા ધીમે ધીમે એવા વિશુદ્ધ નિર્મળ બનતા રહ્યા કે એ ભવમાં મેાક્ષમાના પથિક બની ગયા. એ અતિમુક્ત મુનિ શ્રમણમાંથી મોટા કરોડપતિ એટલે તે જ ભવમાં સિદ્ધ દશાને પામી ગયા. આ અતિમુક્ત મુનિના તેા ભાવ વધ્યા તે આખી જિંદગી વધતા રહ્યા. પેલા વેપારીને તે પહેલાં કપાસના ભાવ વધતાં એમના ભાવ વધ્યા અને ભાવ તૂટતા એમના ભાવ તૂટયા, પણ અહીં તે આ મુનિના ભાવ વધ્યા તે વધ્યા. કારે પણ એ ભાવ તૂટવાના નથી. અતિમુક્ત મુનિએ ઇરિયાવહિયા ક્રિયા કરીને પાપાના કચરા સાફ કર્યાં ને એવી વિશુદ્ધિ કરી કે જીવનમાં પામી ગયા. તે જ ઇરિયાવહિયા ક્રિયા આપણે કેટલી વાર કરીએ છીએ ! છતાં હજુ આપણા ઠેકાણા નથી, કારણ કે આપણા ભાવ તૂટ્યા છે. આ પાઠ આપણે ઘણીવાર ખેલી ગયા પણ એમાં ભાવ વધ્યા નથી. એ શબ્દોના ભાવ આપણામાં આવ્યા નથી. માત્ર ખેલવા પૂરતા બોલી જઈ એ છીએ. ભાવની કંમત છે. ભાવ ઊંચકાયા તેા કરોડપતિ અન્યા ને ભાવ તૂટયા તા રોડપતિ જેવી દશા થઈ તેમ આત્માના ભાવ ઊંચકાય તે આત્મા પામી જાય.
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy